આજના સમયમાં ભોજનમાં ઘંઉ અને મેંદાનો ઉપયોગ વધ્યો છે. રોજિંદા આહારમાં ઘંઉની રોટલી, પૂરી અને પરાઠાનો વધુ ઉપયોગ થાય છે. ઘંઉનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે. પરંતુ આહારમાં કરાતી સામાન્ય ભૂલો તેમને સ્વાસ્થ્ય લાભ આપતી નથી. પ્રાચીન સમયમાં લોકો ઘંઉ નહી જુવારનો વધુ ઉપયોગ કરતા હતા. પરંતુ સમય બદલાતા, ઘઉં અને મેંદાએ રોજિંદા આહારનું સ્થાન લીધું અને પાચન, અને સુસ્તી સહિતની સ્વાસ્થ્ય સમસ્યા વધી. એટલે જ હવે, નિષ્ણાતો દેશી અનાજ જુવાર તરફ પાછા ફરવાની સલાહ આપી રહ્યા છે.
ઘંઉ નહીં જુવાર ખાવાની નિષ્ણાતની સલાહ
આરોગ્ય નિષ્ણાત કહે છે કે આપણા દાદા અને નાનીના સમયમાં ઘંઉ નહી જુવારની રોટલી લોકો ખાતા હતા. જુવારની રોટલી કે જેને જોનહરીની રોટલી પણ કહેવાય છે. જુવારનું સેવન કરવાના કારણે તેઓ 70 વર્ષે પણ સ્વસ્થ અને મજબૂત છે. આજે લોકોની જીવનશૈલીમાં ધરખમ ફેરફાર થયો છે. ખાસ કરીને કોરોના બાદ લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત થવા છતાં પણ કેટલીક સામાન્ય ભૂલો કરે છે. અત્યારના રોજિંદા આહારમાં ઘઉંનો ઉપયોગ થવા લાગ્યો છે. તેના કારણે તંદુરસ્તી, પાચન અને ઉર્જા સંબંધિત સમસ્યાઓ વધવા લાગી છે.
