ગુજરાતમાં અચાનક ટાઈફોઇડ બીમારીના કેસ વધવા લાગ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. ટાઈફોઇડના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર પણ એકશનમાં આવી છે. આરોગિય વિભાગ દ્વારા ટાઈફોઇડ બીમારીને લઈને મહત્વના પગલા લેવામાં આવ્યા. ટાઈફોઈડ એ સાલ્મોનેલા ટાઈફી (Salmonella Typhi) નામના બેક્ટેરિયાથી થતો ચેપી તાવ છે. આ બીમારી મુખ્યત્વે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. જો કે ટાઈફોઇડ બીમારી થવાનું કારણ જાણવાથી બીમારીના જોખમથી બચી શકીએ છીએ.
ટાઈફોઈડ થવાના મુખ્ય કારણો
દૂષિત પાણી પીવાથી ટાઈફોઇડ બીમારી થાય છે. પીવાનું પાણી ગટરના પાણી અથવા બેક્ટેરિયાથી દૂષિત હોય, તો ટાઈફોઈડ થવાની શક્યતા સૌથી વધુ રહે છે. ખાવાના શોખીનો નિયમિત સ્ટ્રીટ ફૂડ ખાય છે. બહારની ખુલ્લી લારીઓ પર મળતો ખોરાક પર માખીઓ બેસતી હોય છે. આ ખોરાક અસ્વચ્છ પાણીથી બનાવવામાં આવ્યો હોય છે. બિનઆરોગ્યપ્રદ સ્ટ્રીટ ફૂડનું સેવન કરવાથી ચેપ લાગે છે. ટાઈફોઈડ થયેલી વ્યક્તિ શૌચ ક્રિયા બાદ હાથ બરાબર ન ધોવે અને ખોરાકને સ્પર્શ કરે, તો તે વ્યક્તિ દ્વારા અન્યને પણ ચેપ લાગી શકે છે. દૂષિત પાણીથી ધોયેલા કાચા ફળો અથવા શાકભાજી ખાવાથી બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી શકે છે. આ ઈમ્યુનિટી ઓછી હોય તેમને આ બેક્ટેરિયાનો ચેપ જલ્દી લાગે છે.













