શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવાથી સાંધાનો દુખાવો, સંધિવા અને કિડનીમાં પથરી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યા સામાન્ય લાગે પરંતુ તેના કારણે રોજિંદા કાર્યો પર ગંભીર અસર થાય છે. આગળ જતા આ સમસ્યા મોટી બીમારીનું કારણ બને છે. એટલે જયારે પણ શરીરમાં યુરિક એસિડની સમસ્યા દેખાય ત્યારે તેના કારણો જાણવા જોઈએ. તેના બાદ આ યુરિક એસિડને નિયંત્રિત કરવા યોગ્ય આહારનું પાલન કરવું જોઈએ. આરોગ્ય નિષ્ણાત પાસેથી જાણીએ કે શરીરમાં કેમ યુરિક એસિડ વધે છે અને કયા આહારને દૈનિક ભોજનમાં સ્થાન આપવું જોઈએ.


યુરિક એસિડ વધવાના મુખ્ય કારણો

ખોરાકમાં પ્યુરીનનું વધુ પ્રમાણ: જો તમે એવો ખોરાક વધુ લો છો જેમાં પ્યુરીન નામનું તત્વ વધારે હોય, તો શરીરમાં યુરિક એસિડ વધે છે. લાલ માંસ, સીફૂડ, અને કેટલાક કઠોળ આ માટે જવાબદાર હોઈ શકે છે.

મીઠા પીણાં અને ખાંડ: વધુ પડતી ખાંડ (ખાસ કરીને ફ્રુક્ટોઝ) ધરાવતા સોફ્ટ ડ્રિંક્સ કે પેકેજ્ડ જ્યુસ પીવાથી પણ આ સમસ્યા સર્જાય છે.

કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો: કિડનીનું કામ શરીરમાંથી વધારાનું યુરિક એસિડ ફિલ્ટર કરવાનું છે. જો કિડની યોગ્ય રીતે કામ ન કરતી હોય, તો આ એસિડ લોહીમાં જ રહે છે.

વજન અને જીવનશૈલી: વધુ પડતું વજન હોવું અથવા બેઠાડુ જીવન જીવવાથી મેટાબોલિઝમ ધીમું પડે છે, જે યુરિક એસિડ વધવાનું કારણ બને છે.

ડાયાબિટીસ અને બીપી: હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ શરીરમાં આ તત્વનું સંતુલન બગાડી શકે છે.

યુરિક એસિડ ઘટાડવા આ ખોરાકને સામેલ કરો

શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઘટાડવા માટે આહારમાં ફેરફાર કરવો એ સૌથી અસરકારક રીત છે. મુખ્યત્વે એવો ખોરાક લેવો જોઈએ જે પ્યુરીનમાં ઓછો હોય અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદરૂપ થાય. યુરિક એસિડની સમસ્યા હોય તો ઓટ્સ અને દલિયા, બ્રાઉન રાઇસ અને બ્રોકોલી અને કોબીજ જેવા ફાઈબરથી ભરપૂર ખોરાક લો. લીંબુ અને સંતરા જેવા વિટામિન સી વાળા ફળો અને તેના જયુસ પણ આ સમસ્યામાં ફાયદો કરશે. દિવસમાં ઓછામાં ઓછું ૩ થી ૪ લિટર પાણી પીવો. પાણી શરીરમાંથી યુરિક એસિડને પેશાબ વાટે બહાર કાઢવામાં કુદરતી રીતે મદદ કરે છે.


આ પણ વાંચો : AC Service : ગરમીનો પારો વધ્યો, ટેકનિશિયનને બોલાવ્યા વગર જાતે જ સાફ કરો એર કન્ડિશનર


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: