ફેસવોશનો ઉપયોગ ચહેરો ધોવા માટે અને વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ ઘણા સમયથી કરવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હવે લોકો શેમ્પૂથી ચહેરો ધોઈ રહ્યા છે.


હા, સોશિયલ મીડિયા પર શેમ્પૂથી ચહેરો ધોવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શેમ્પૂથી ચહેરો ધોવાથી ખીલ દૂર થાય છે અને સ્કિન સાફ થાય છે. આ વાત તમને ખૂબ જ વિચિત્ર લાગશે. પરંતુ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ કેટલું ફાયદાકારક છે? શું ખરેખર ચહેરા પર શેમ્પૂનો ઉપયોગ કરી શકાય છે? 

લોકો શેમ્પૂથી ચહેરો કેમ ધોઈ રહ્યા છે?

લોકો શેમ્પૂથી ચહેરો ધોવા પાછળ ફંગલ ખીલનું કારણ ગણાવી રહ્યા છે. તેઓ માને છે કે શેમ્પૂ ફંગલ ખીલને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ફંગલ ખીલને માલાસેઝિયા ફોલિક્યુલાઇટિસ કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે, વાળના ફોલિકલ્સની અંદર ખીલ. આ સામાન્ય ખીલથી તદ્દન અલગ હોય છે.

સ્કિન એક્સપર્ટ શું કહે છે?

સ્કિન એક્સપર્ટ કહે છે કે,  તમે થોડા સમય માટે શેમ્પૂથી તમારો ચહેરો ધોઈ શકો છો, પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી. સ્કિન એક્સપર્ટ કહે છે શેમ્પૂમાં ઝિંક પાયરિથિઓન નામનું કેમિકલ હોય છે, જે ખોડાને કારણે થતા ખીલ ઘટાડે છે. જ્યારે તમે તમારા ચહેરા પર શેમ્પૂ લગાવો છો, ત્યારે તમને તેની અસર દેખાય છે. પરંતુ તે ફક્ત થોડા સમય માટે જ છે. જો તમે લાંબા સમય સુધી તમારા ચહેરા પર શેમ્પૂનો ઉપયોગ કરો છો, તો તે આડઅસરો આપી શકે છે.

રોજ ચહેરા પર શેમ્પૂ લગાવવાના ગેરફાયદા

શેમ્પૂ ચહેરા માટે નહીં પણ માથાની ચામડી માટે બનાવવામાં આવે છે. શેમ્પૂનું pH લેવલ અલગ હોય છે. તેમાં રહેલા સફાઈ એજન્ટો વધુ મજબૂત હોય છે અને તે ખીલ, ફોલ્લીઓ અને બળતરા પેદા કરીને સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે દરરોજ શેમ્પૂનો ઉપયોગ ફેસ વોશ તરીકે કરી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આનાથી ચહેરો ડ્રાય થઈ શકે છે અને ચહેરો ડ્રાય અને શકે છે. સ્કિન અવરોધ પણ નબળો પડી જાય છે, જે સ્કિન પર ધૂળ અને ગંદકીને કારણે થતી સમસ્યાઓનું જોખમ વધારે છે. છેલ્લે સ્કિનમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે તો ખોટા આ રીતે ટ્રેન્ડના ચક્કરમાં પોતાની સ્કિન બગાડવી નહીં.

Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.


  • Follow us on: