ચોમાસામાં વરસાદની સાથે-સાથે જીવજંતુઓ પણ ઘરમાં પગપેસારો કરે છે. વરસાદી સિઝનમાં વંદા અને માકડીઓ જેવી વિવિધ પ્રકારના જંતુઓ જોવા મળે છે. વરસાદી પાણી સાથે ઘરમાં જોવા મળતાં આ જીવજંતુનો પ્રવેશ મહિલાઓની ચિંતા વધારે છે. ભેજવાળા વાતાવરણના કારણે આ પ્રકારના જંતુઓનો ઉપદ્રવ વધે છે. જો તમારા ઘરમાં પણ વંદા અને મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોય તો તમે તેને દૂર કરવા આ ઉપચાર અજમાવો.


વરસાદી સિઝનમાં બીમારીઓથી દૂર રહેવા ઘરને સ્વચ્છ અને આરોગ્ય સ્વસ્થ રાખવું જરૂરી છે. અમે તમને વરસાદમાં ઘરમાં પ્રવેશ કરતા આ જીવજંતુને દૂર કરવાના ઉપાય જણાવીશું. તમારા ઘરને સુરક્ષિત અને સ્વચ્છ રાખવામાં આ ઉપાય મદદરૂપ બનશે.

આ માટે, તમે કેટલીક દેશી અથવા ઘરે બનાવેલી પદ્ધતિ અજમાવી શકો છો. 

  • ઘરમાં ખાસ કરીને રસોડામાં સિન્કની નીચે અને બહાર ઓસરીમાં તેમજ બાથરૂમમાં વંદા જોવા મળતા હોય છે. વંદા દૂર કરવા તમે કાળી મરીવાળા પાણીનો નિયમિત છંટકાવ કરો. આ ઉપરાંત થોડો લોટ, ખાંડ અને બોરિક પાવડર મિક્સ કરીને નાના ગોળા બનાવો અને તેને વંદા જયાં છુપાય છે તે સ્થાન પર મૂકો. 
  • વંદા તેમજ લીલીડી, માકડી, ગરોળી દૂર કરવા તમે ડુંગળી અને લસણનો ઉપયોગ કરો. જે સ્થાન પરથી વંદા અને જંતુઓ પ્રવેશ કરતા હોય તે સ્થાન પર તમે ડુંગળી અને લસણના ટુકડા કાપીને મૂકી રાખો. આ બંને વસ્તુની દુર્ગંધથી જંતુઓ દૂર ભાગશે.
  • આ ઉપરાંત બાથરુમ અને રસોડા અને વોશબેઝીન પાસે બોરિક પાવડર નિયમિત છાંટો. બાથરુમના ઉપયોગ કર્યા બાદ તમે દરવાજા આસપાસ અને ડ્રેનેજની આસપાસ આ પાઉડર છાંટીને દિવસ દરમ્યાન ઘરમાં આવતા વંદાને દૂર રાખી શકો છો.
  • બાથરૂમમાં, સિંકમાં અને પાઈપોની નીચે વંદા છુપાઈ જાય છે. એટલે રાત્રે સૂતા પહેલા રસોડા તેમજ બાથરૂમની સારી રીતે સફાઈ કરો. રસોડામાં ખાદ્ય પદાર્થોને ખુલ્લા નહી ઢાંકીને રાખો. વંદા બહાર ના નીકળે માટે તમે રાત્રિના સમયે ખાડીના પાન અથવા લવિંગ મૂકી શકો છો.
  • ઘરમાં મચ્છર જોવા મળે તો સાંજના સમયે તમે એક વાસણમાં રૂમમાં કપુર સળગાવો. તમે સૂકા લીમડાના પાંદડા અથવા તેલને ઘરના ખૂણામાં મુકી શકો છો. અથવા તો એક માટીના વાસણમં લીમડાના પાન સાથે તમે કપૂર નાખીને થોડો સમય ઘરમાં ધુમાડો કરશો તો મચ્છર દૂર થશે.

  • Follow us on: