• સ્કીન પર લાલ દાણા જોવા મળે છે
  • ખાન પાનનો સીધો સંબંધ આ બીમારી સાથે સંબંધ છે
  • વાયુ પ્રદૂષણને આ રોગનું કારણ માનવામાં આવે છે

જો તમારા શરીરના બહારના ભાગ પર એલર્જી થઈ છે તો તમે તેને વારંવાર ખંજવાળો છો. તેનાથી તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો લાવે છે. સ્કીનની લગભગ તમામ બીમારીઓમાં ખંજવાળ રહે છે. તેનાથી તમે હેરાન થાઓ છો. જો તમને આર્ટિકરિયાની બીમારી છે તો તેને પિત્તી અને લાલ દાણાની બીમારી પણ કહેવામાં આવે છે. આ બીમારીથી પીડિત રોગીને શરીરમાં લાલ લાલ નિશાન આવી જાય છે. તેમાં ખંજવાળ પણ આવે છે. મળતી માહિતિ અનુસાર ખરાબ ખાન પાન અને વાયુ પ્રદૂષણને આ રોગનું કારણ માનવામાં આવે છે.

કોને થાય છે આ બીમારી

ઉલ્લેખનીય છે કે આર્ટિકરિયાની આ બીમારી કોઈને પણ થઈ શકે છે. બાળકો અને 20થી 40 વર્ષના લોકોને આ બીમારીનો સૌથી વધારે ખતરો રહે છે.

શું છે આ બીમારીના લક્ષણ

ઉલ્લેખનીય છે કે ખાન પાનનો સીધો સંબંધ આ બીમારી સાથે સંબંધ ધરાવે છે. તેમાં સ્કીન પર લાલ દાણા જોવા મળે છે. તેમાં દર્દીને વધારે ખંજવાળ આવે છે. ક્યારેક દાણા જતા રહે છે પણ જો તે ન જાય તો કોઈ સ્કીન એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.

બીમારીનો પ્રદૂષણ સાથે છે સંબંધ

પહેલાથી કોઈ એલર્જી છે તો પ્રદૂષણમાં તમારી બીમારી અને વધારે વધી શકે છે. આ માટે કોશિશ કરો કે માસ્ક પહેરો અને વધારે પાણી પીવું, તેનાથી તમારા શરીરના અંગો સાથે ઓછામાં ઓછું નુકસાન થાય.

આનુવંશિક હોય છે સ્કીનની સમસ્યા

ઉલ્લેખનીય છે કે પરિવારમાં કોઈને પહેલાથી સમસ્યા હોય છે તો તમને પણ સમસ્યા છે. તેનાથી બચાવને માટે તમારે તેના લક્ષણો પર ધ્યાન આપવાનું રહે છે. સ્કીન પર લાલ ચકામા અને ખંજવાળ આવવાની સમસ્યામાં ડોક્ટરની સલાહ લેવી. પરિવારમાં પહેલાથી કોઈને સ્કીનની બીમારી છે તો ડોક્ટરનો સંપર્ક કરી લેવો જરૂરી છે.

કેવી રીતે બચશો બીમારીથી

ઉલ્લેખનીય છે કે કોઈ ખાવાની ચીજથી એલર્જી છે તો તેને ન ખાઓ. સાથે પ્રદૂષણમાં માસ્કનો યૂઝ કરો. કેમકે ધૂળ અને માટીમાં એલર્જી વધી શકે છે. તેનું ધ્યાન રાખી લેવું પણ જરૂરી છે. 

  • Follow us on: