• લોકભાની ચૂંટણી પત્યા પછી ફરી બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થશે
  • પીએમ નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ ઋષિ સુનક વચ્ચે વાતચીત થઈ હતી
  • બંને દેશ વચ્ચે એક વર્ષમાં 38.1 અબજ પાઉન્ડની આસપાસ વેપાર થયો છે
ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ અધિનિયમ પર 14માં તબક્કાનો વાટાઘાટો શુક્રવારે સમાપ્ત થયો. વાતચીતની જાણકારી રાખતા બ્રિટનના અધિકારીઓ અનુસાર ભારતમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ આ વાટાઘાટો સંપન્ન થવો અપેક્ષિત હતો અને આગામી તબક્કાની વેપાર વાતચીત ચૂંટણી સમાપ્ત થયા પછી જ શરૂ થઈ શકે છે. જાન્યુઆરી-2022માં શરૂ થયેલી એફટીએ વાટાઘાટોનો હેતુ બંને દેશના વેપાર માટે મહત્તવાકાંક્ષી પરિણામો મેળવવાનો છે.

ગયા મહિને સત્તાવાર આંકડાઓ અનુસાર, હજી બંને દેશ વચ્ચે વેપાર એક વર્ષમાં 38.1 અબજ પાઉન્ડની આસપાસ છે. બ્રિટનમાં સત્તાવાર સૂત્રો અનુસાર, ''અમારું અનુમાન છે કે થોડી ઘણી વાતચીત થઈ શકે છે પરંતુ આગામી તબક્કાની વાતચીત ભારતમાં લોકસભા ચૂંટણી પછી જ થશે. કોઈપણ પક્ષ વાતચીતથી ભાગી નથી રહ્યું. માત્ર એટલી વાત છે કે અમારી પાસે કોઈ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે તે બધું નથી જે વસ્તુઓ, સેવાઓ અને રોકાણ ક્ષેત્રમાં અમારી મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરી શકે.''

મહત્ત્વનું છે કે, ગત કેટલાક વર્ષોમાં વાટાઘાટો કરનારે ખૂબ મહેનત કરી અને કેટલાક મહત્ત્વના મુદ્દાઓને ઉકેલવામાં સફળ રહ્યા છીએ. આ વાટાઘાટો અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયાની શરૂઆતમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે વાતચીત કરી અને બંને નેતાએ ઐતિહાસિક અને વ્યાપક કરાર સુધી પહોંચવા સહમત થયા હતા. જેમાં બંને દેશોને લાભ થશે.
  • Follow us on: