• ગૃહમંત્રીએ છોટાઉદેપુર, વલસાડ, દમણમાં ચૂંટણી સભાઓ ગજવી

  • જ્યાં સુધી અમે સત્તામાંથી છીએ ત્યાં સુધી અનામત પર કોઈનો પંજો પડવા નહીં દઈએ
  • 70 વર્ષથી આદિવાસી સમાજને ગુમરાહ કરીને કોંગ્રેસે આદિવાસીઓને વિકાસથી વંચિત રાખવાનું મહાપાપ કર્યુ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે છોટાઉદેપુરના બોડલીમાં, વલસાડના વાસંદામાં અને દમણના દુણેઠા એમ ત્રણ આદિવાસી રિઝર્વ લોકસભા ક્ષેત્રોમાં ચૂંટણી સભાને સંબોધી હતી. વાસંદામાં તેમણે ''આમ આદમી પાર્ટી- AAP અને કોંગ્રેસને મતદારો પસંદ કરશે તો ભવિષ્યમાં અહીંયા નક્સલવાલ વકરશે. અર્બન નક્સલવાલને વરેલી AAP આદિવાસી ક્ષેત્રમાં કોંગ્રેસ સાથે મળી, સમગ્ર પ્રદેશને નક્સલવાદની આગમમાં હોમી દેશે'' એમ કહ્યું હતું.

70 વર્ષથી આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરીને કોંગ્રેસે આદિવાસીઓને વિકાસથી વંચિત રાખવાનું મહાપાપ કર્યુ છે. મોદી સરકારે આદિવાસી કલ્યાણના શ્રોણીબધ્ધ પગલાંઓથી લઈ આદિવાસી સમાજનું હિત હૈયે રાખ્યુ છે. તેમ કહેતા અમિત શાહે મોદી સરકારની સિદ્ધીઓ વર્ણવી હતી. અટલજીની સરકારે આલાયદું આદિવાસી મંત્રાલય બનાવ્યાનુ યાદ કરાવતા તેમણે આદિવાસીઓના વિકાસમાં અવારનવાર વિધ્ન નાખતા સ્થાનિક નેતાઓ આદિવાસી સમાજના શત્રુ છે હોવાનું કરીને નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા અપીલ કરી હતી.

બોડેલીમાં સભા સંબોધતા તેમણે ઈન્ડીયા એલાયન્સની અનામત હટાવવા મુદ્દે કહ્યુ કે, રાહુલ બાબા આણી મંડળીએ એવુ ચલાવ્યુ છે કે નરેન્દ્ર મોદી સત્તામાં આવશે તો અનામત જતી રહેશે. પણ હું તમને ભરોસો આપુ છુ કે જ્યાં સુધી અમે સત્તામાં છીએ ત્યાં સુધી અનામત પર કોઈનો હાથ પડવા નહી દઈએ. તેમણે રાહુલ ગાંધીને સારા સલાહકાર રાખવાની શિખામણ આપતા કહ્યુ કે, અમે વર્ષ 2014 અને વર્ષ 2019માં સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં છીએ તો પણ જી્, જીઝ્ર અને ર્ંમ્ઝ્ર અનામતને હટાવવાનું કામ કર્યુ નથી. અનામત ઉપર તો ઈન્ડિયા એલાયન્સે લૂંટ મચાવી છે.

તેમણે કર્ણાટકમાં બક્ષીપંચની ચાર ટકા અનામત લૂંટીને મુસ્લિમોને આપી. આંધ્રપ્રદેશમાં પણ આવુ કર્યુ છે. એટલે રાહુલ ગાંધી સત્તા ઉપર આવશે તો તેઓ જ અનામત છીનવી લેશે. સંઘ પ્રદેશ દમણની લોકસભા બેઠકમાં મતદારોને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ અને ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ વોટબેંકના ડરથી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ ન લીધો તેમ કોંગ્રેસને આડે હાથે લીધી હતી. તેમણે ગર્ભીત રીતે કહ્યું, તેમની વોટબેંક કોણ છે તે બધા જાણે છે. ભાજપે ડંકાની ચોટ પર રામમંદિર નિર્માણ કાર્ય કરાવ્યું છે.

  • Follow us on: