• મતગણતરીના દિવસે ગાંધી ચોકમાં લગાવાય છે સટ્ટો
  • પસંદગીના નેતા પર દાવ લગાવીને અનુમાન કરાય છે
  • લોકસભા ચૂંટણીના ભાવ બીકાનેર અને સીકરથી નક્કી થાય છે

ચૂંટણી હોય કે વરસાદ, ક્રિકેટ અને ફૂટબોલ મેચમાં પણ ફલોદી સટ્ટાબજારના સટોડિયાનું ગણિત હંમેશા સાચું સાબિત થાય છે. તેમના ગણિતના આધારે કરોડો રૂપિયા દાવ પર લગાવવાની પરંપરા હજુ પણ કાયમ છે. આ ક્ષમતાને સટ્ટાબજાર નામ આપીને તેને માટે અનેક ટિપ્પણીઓ પણ કરાય છે. કેટલાક વ્યક્તિના ખાસ નિર્ણય પર કરોડો રૂપિયાનો દાવ લગાવીને સટ્ટા બજાર પર મહોર લગાવાય છે.

કયા વિષયો પર થાય છે સટ્ટો

પહેલા ફલોદી સટ્ટાબજારમાં વરસાદની ચર્ચા થતી હતી અને અહીંના લોકો આકાશ તરફ જોઈને વરસાદની આગાહી કરતા હતા અને તે મુજબ ખેતી વિશે પણ નિર્ણય લેતા હતા. લગભગ ત્રણ દાયકા પહેલાં મુંબઈમાં કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા અને ત્યાંથી ચૂંટણી, ક્રિકેટ અને ફૂટબોલની મેચો અને વિધાનસભા, લોકસભા, પંચાયત સમિતિ અને નગર પરિષદની ચૂંટણીઓ પર સટ્ટો રમવાની પરંપરા પણ શરૂ થઈ. આમાં પણ સચોટ પરિણામને કારણે ફલોદીના સટ્ટાબજારમાં લોકોનો વિશ્વાસ વધવા લાગ્યો.

બદલાતા રહે છે ભાવ

સટ્ટા બજારમાં સીટને લઈને થતા સોદાનું પણ પોતાનું ગણિત છે. રાજકીય પક્ષો અને ઉમેદવારની જીતના ભાવ અલગ અલગ કારણોના લીધે બદલાતા રહે છે. હાલના ભાવ ચાર ચરણ પૂરા થયા બાદના છે. 3 ચરણ અને થનારી ચૂંટણીના ખાસ ગણિતમાં સીટની સંખ્યા ઘટી- વધી શકે છે.

મતગણતરીના દિવસે રહેશે ભીડ

લોકસભા ચૂંટણીમાં વધારે રસ નહીં હોવાના કારણે અનેક મોટા દાવ જોવા મળી રહ્યા નથી પણ છતાં મતગણતરીના એક દિવસ પહેલા અને મતગણતરીના સમયે અહીં પરંપરાગત સદર બજારના ગાંધી ચોકમાં લોકો ભેગા થાય છે અને પસંદગીના નેતા પર દાવ લગાવી અનુમાન કરાય છે.

રાજશાહી બજાર બન્યું સટ્ટા બજાર

આઝાદી પહેલા જ્યારે પાકિસ્તાન ભારતમાં સામેલ હતું ત્યારે ફલોદીનો વ્યાપાર પાકિસ્તાનના સિંઘ પ્રાંત સુધી થતો જે વ્યાપાર અહીંના રાજશાહી બજાર હાલના સદર બજારના નામથી ચાલતો હતો. આ કારણ છે કે આ બજાર આજે પણ હેરિટેજ લૂકમાં છે. પહેલા આ બજારને રાજશાહી બજારના નામથી ઓળખાતું હતું. અહીં ઘી, તેલ, અનાજ, મીઠું, માવા અને મીઠાનો મોટો વેપાર થતો હચો પણ આઝાદી બાદથી આ વ્યાપાર બંધ થયો. આ પછી રાજશાહી સદર બજાર અને પછી સટ્ટા બજારમાં પરિવર્તિત થયું.

બીકાનેર અને સીકરથી આવે છે ભાવ

ફલોદી સટ્ટા બજારમાં હાલમાં લોકસભા ચૂંટણીને લઈને આવનારા ભાવ ફલોદીના સટ્ટાબાજો નક્કી કરતા નથી પરંતુ બીકાનેર અને સીકરથી ભાવ આવે છે. જેને અહીં લાગૂ કરી દેવામાં આવે છે. બેબાક શબ્દોના કારણે ફલોદી સટ્ટા બજાર દેશમાં ચર્ચામાં રહે છે. અહીં વરસાદ સિવાય કોઈના પણ ભાવ આ બજારમાં નક્કી થતા નથી.

કોંગ્રેસને મળશે 60-63 સીટ

ફલોદી સટ્ટા બજાર ભાજપને 300 સીટ આપી રહ્યું છે જ્યારે વિપક્ષ કોંગ્રેસ માટે 60-63 સીટનું અનુમાન કરી રહ્યો છે. અન્ય સીટો અન્ય દળમાં વહેંચાઈ રહી છે. ફલોદી બજારનું આ અનુમાન યોગ્ય રહે છે તો એકવાર ફરી અહીંના અનુમાન પર સટીકતાની મહોર લાગી શકે છે.

ભાજપને આપી રહ્યું છે 300 સીટ

લોકસભા ચૂંટણી પહેલા જ્યાં ભાજપે રામ મંદિર નિર્માણને કારણે 400 પાર બેઠકનો દાવો કર્યો છે ત્યાં ફલોદી સટ્ટા બજાર ભાજપની 320 સીટ જીતવા પર દાવ લગાવી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ ભાજપની સીટ ઓછી થઈને 300 માનવામાં આવી રહી છે. ચૂંટણીમાં હાર-જીતના અનુમાન ઉમેદવાર પર પણ આધાર રાખે છે. આ વખતે પણ આ સટ્ટા બજારે આવી અનેક વાતોને ધ્યાનમાં રાખીને અનુમાન કર્યું છે.  

Disclaimer : આ સટ્ટાબજારનું અનુમાન છે. જે વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યું છે. સટ્ટા બજારના અનુમાનની સાથે સંદેશ સહમત નથી.

  • Follow us on: