વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક આયોજન મહાકુંભ 2025એ વ્યાપાર અને અર્થતંત્રના ક્ષેત્રમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.


કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)ના જણાવ્યા અનુસાર આ વર્ષે મહાકુંભ 360 અબજ અમેરિકન ડોલર એટલે કે રૂ. ત્રણ લાખ કરોડથી વધુનો વ્યાપાર ઉત્પન્ન કરશે. જેને પગલે તે ભારતના સૌથી મોટા આર્થિક આયોજનોમાનો એક બની ગયું છે. CAITના મહાસચિવ અને સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ આયોજન આસ્થા અને અર્થતંત્રના ગાઢ સંબંધને દર્શાવે છે. 60 કરોડ જેટલા શ્રાદ્ધાળુઓના આગમનથી વ્યાપાર જોરદાર ઊંચકાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે પ્રારંભિક તબક્કે આ કુંભમેળામાં 40 કરોડ જેટલા શ્રાદ્ધાળુઓ સ્નાન માટે આવશે અને તેને પગલે બે લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર થવાનું અનુમાન હતું. પરંતુ દેશભરમાં આ આયોજનને લઈને પ્રવર્તી રહેલાં અભૂતપૂર્વ ઉત્સાહના કારણે હવે 60 કરોડ જેટલા શ્રાદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે. તેને પગલે વ્યાપાર પણ ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની સંભાવના છે.

મહાકુંભની ફરતે 150 કિલોમીટરમાં પણ ફાયદો થયો

CAITના જણાવ્યા અનુસાર મહાકુંભના કારણે ફક્ત પ્રયાગરાજને જ નહીં પરંતુ સાથોસાથ તેની ફરતે 150 કિલોમીટરની રેન્જમાં આવતાં તમામ ગામ અને શહેરોને પણ જોરદાર ફાયદો થયો છે. આ ઉપરાંત અયોધ્યા, વારાણસી તથા અન્ય ધાર્મિક સ્થળો પર પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં જોરદાર વૃદ્ધિ નોંધાઈ હતી.

કુંભના કારણે લાભ મેળવનારા ક્ષેત્રો-પ્રવાસન ક્ષેત્ર, હોટેલ અને આવાસ

ખાદ્ય અને પેય પદાર્થ , ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ,પૂજા સામગ્રી, ધાર્મિક વસ્ત્ર અને હસ્ત શિલ્પ , હેલ્થ કેર અને વેલનેસ સર્વિસિસ મીડિયા, જાહેરાત અને મનોરંજન ઉદ્યોગ સ્માર્ટ ટેક્નોલોજી , સીસીટીવી , ટેલિકોમ અનેન એઆઈ આધારિત સર્વિસિસ


  • Follow us on: