રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક અંદાજમાં શક્તિપ્રદર્શન કરીને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આજે કેસરીયા માહોલમાં એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ 72 બેઠકોના ઉમેદવારો, દિગ્ગજ નેતાઓ અને હજારો કાર્યકરો ઉમટી પડ્યા છે.
નારાજને મનાવી લઇશું
આ પ્રસંગે પ્રદેશ ભાજપના નેતા ભરત બોઘરાએ ટિકિટ ફાળવણીમાં જોવા મળતી સામાન્ય નારાજગી અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "અમારી પાર્ટી મોટી છે અને સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી ચાલે છે. જો કોઈ નારાજ હશે તો તેમને અમે મનાવી લઈશું, કારણ કે કોઈ પણ વ્યક્તિ પાર્ટીથી ઉપર નથી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપ આ વખતે રાજકોટની તમામ 72 બેઠકો પર ભવ્ય વિજય મેળવશે.
