• અયોધ્યા રામમંદિરને લઇને ઉત્સાહનો માહોલ
  • 51 ઇંચ ઊંચી રામલલ્લાની પ્રતિમા પહોંચી અયોધ્યા
  • 17 દિવસ બાદ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

રામલલ્લાની 51 ઈંચ ઊંચી પ્રતિમા ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચી છે. રામલલ્લાની મૂર્તિ જયપુરના એક શિલ્પકાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ મૂર્તિ ભગવાન રામ અને ભગવાન વિષ્ણુનું મિશ્રણ છે જેમાં બાળસહજતાનો સ્પર્શ છે.

જયપુરના છે શિલ્પકાર

[[$googlead]]

જયપુરના શિલ્પકાર ચંદ્રેશ પાંડે દ્વારા તૈયાર કરવામાં આવેલી ભગવાન રામલલ્લાની 51 ઈંચ ઊંચી પ્રતિમા રામનગરી અયોધ્યા પહોંચી ગઈ છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઇને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા માટે આવનાર મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અયોધ્યાના મેદાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. ભગવાન શ્રી રામના અભિષેકને લઈને દેશભરના રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે.

[[$alsoread]]

મુખ્ય મૂર્તિ અરુણ યોગીરાજે બનાવી છે

અયોધ્યાના રામ મંદિરમાં કર્ણાટકના પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી 'રામ લલ્લા'ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. દરમિયાન, ભવ્ય રામ મંદિરના પ્રવેશદ્વાર પર હાથી, સિંહ, ભગવાન હનુમાન અને ગરુડની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેને હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન વિષ્ણુના 'વાહન' કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવાના છે.

  • Follow us on: