• મથુરામાં ત્રિદિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવ
  • સીએમ યોગી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી હાજરી
  • સંબોધન દરમિયાન યોગીએ અયોધ્યા વિશે કહી આ વાત
યુપી સીએમ યોગી આદિત્યનાથ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના મથુરામાં આયોજિત પૂજ્ય દીદી મા સાધ્વી ઋતંભરા જીના ત્રિ-દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવમાં ભાગ લીધો હતો અને ષષ્ટિપૂર્તિ મહોત્સવને સંબોધિત કર્યો હતો.

જ્યાં સિંગલ રસ્તો હતો ત્યાં 6 લેન છે- સીએમ યોગી

આ પ્રસંગે યોગી આદિત્યનાથે અયોધ્યાને યાદ કરતા જણાવ્યું કે પહેલા અયોધ્યામાં સિંગલ રસ્તો હતો. રેલ લાઇન જતી હતી પણ ત્યાં ક્યારેક ક્યારેક જ ટ્રેન આવતી હતી. આજે અયોધ્યામાં 4 અને 6 લેનના રસ્તા મળ્યા છે. 22 જાન્યુઆરી પછી અયોધ્યા જઇને જોજો, ત્રેતાયુગની યાદ આવી જશે.

ભારતનું સન્માન વધ્યું- સીએમ યોગી

સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે આજે ભારતનું સન્માન વધ્યુ છે. નવુ ભારત જોવા મળી રહ્યું છે. જેઓ અયોધ્યાનું નામ લેતા ખચકાતા હતા તેઓ કહી રહ્યા છે કે અમને આમંત્રણ મળશે તો અમે ચોક્કસ અયોધ્યા જઇશું. આ બદલાવ જોવા મળ્યો છે. 
  • Follow us on:

[[$googlead]]