• દૂધ, દહીં, ઘી અને ચોખાથી કરો અભિષેક
  • આંકડાના ફૂલ અને સફેદ ચંદન પણ મહાદેવને કરશે પ્રસન્ન
  • ખાંડના અભિષેકથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે

શ્રાવણમાં શિવલિંગની પૂજાનું ખાસ મહત્વ છે. શ્રાવણમાં પણ સોમવારે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો અનેક ઉપાયો કરતા રહે છે. આ સમયે શિવજીને પ્રસન્ન કરવા માટે શિવભક્ત વિધિ વિધાનથી શિવલિંગનો જળાભિષેક કરે છે. માન્યતા છે કે દેવોના દેવ મહાદેવની ઉપાસનાથી મનોવાંછિત ફળ મલે છે. આમ તો ભોલેનાથ માત્ર એક લોટો જળથી ખુશ થાય છે પણ વિશેષ સામગ્રીથી અભિષેક કરવાથી વધુ આશિષની પ્રાપ્તિ થઈ શકે છે. તો જાણો શિવજીને પ્રિય એવી 7 સફેદ વસ્તુઓ જેને ચઢાવવાથી લાભ થશે.

જાણો કઈ વસ્તુના અભિષેકથી શું ફાયદો થશે.

  1. દૂધ- શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી આરોગ્યનું સુખ વધે છે.
  2. દહીં - દહીંના અભિષેકથી જીવનમાં સ્થિરતા આવે છે અને પરિવારમાં તાલમેલ પણ બની રહે છે.
  3. ઘી- મહાદેવને ઘી અર્પિત કરવાથી ઉર્જાવાન રહેવામાં મદદ મળે છે અને વંશ વૃદ્ધિ પણ થાય છે.
  4. ચોખા - શિવપૂજામાં ચોખા ચઢાવવાથી ધન અને સંપત્તિમાં વધારો થતો જોવા મળે છે.
  5. આંકડાના સફેદ ફૂલ - આંકને મદારનું ફૂલ પણ કહેવાય છે. માન્યતા છે કે શિવલિંગ પર આ ફૂલ ચઢાવવાથી શિવજીને શાંતિ મળે છે. મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ પણ મળે છે.
  6. સફેદ ચંદન- શિવલિંગની પૂજામાં સફેદ ચંદનથી શૃંગાર કરો. તેનાથી વ્યક્તિત્વ આકર્ષિત થાય છે અને માન સમ્માન પણ મળે છે.
  7. ખાંડ - મહાદેવને ખાંડથી અભિષેક કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે અને સંબંધોમાં મીઠાશ આવે છે.

  • Follow us on: