- વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે T-20 સીરિઝ
- સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ એનાઉન્સ કરી દીધું
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ભારતીય ટીમમાં જોવા મળશે ફેરફાર
વર્લ્ડ કપ 2023ના રોજ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે T-20 મેચની સીરિઝ રમશે. બંને ટીમો વચ્ચે 5 T-20 મેચ રમાશે, પરંતુ આ સીરિઝમાં ભારતીય ટીમના લગભગ તમામ મોટા ખેલાડીઓને બ્રેક આપવામાં આવશે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ બ્રેક પર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરશે, નિયમિત કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના કેટલાક સીનિયર ખેલાડી રેસ્ટ કરી શકે છે. તેવામાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ યુવા ખેલાડીઓની સ્ક્વોડ એનાઉન્સ કરી શકાય છે.
ભારતીય સ્ક્વોડમાં યશસ્વી જાયસવાલ, રિંકૂ સિંહ, તિલક વર્મા અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી શાનદાર પ્રદર્શન કરનારા રિયાન પરાગ જેવા બેટ્સમેનોને મોકો મળી શકે છે. ત્યારે, સંજૂ સેમસનની વિકેટકીપર તરીકે વાપસી થઈ શકે છે અને જિતેશ શર્મા બેકઅપ વિકેટકીપર થઈ શકે છે. ત્યારે, બોલિંગમાં મુકેશ કુમાર, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ જેવા બોલર્સ સામેલ થઈ શકે છે.













