- ટિટે રાજીનામું આપનાર છઠ્ઠા કોચ બન્યા
- વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ નેમાર ઘણો હતાશ જણાતો હતો
- પરાજય બાદ બ્રાઝિલના કોચ ટિટેએ પણ કોચ કમ મેનેજર તરીકેનો હોદ્દો છોડી દીધો
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે સંકેત આપ્યો છે કે તે ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ શકે છે. શુક્રવારે કતાર ખાતે રમાતા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ નેમાર ઘણો હતાશ જણાતો હતો. નેમારે મેચ બાદ જણાવ્યું હતું કે હું નેશનલ ટીમ તરફથી ફરી રમીશ કે નહીં તેની કોઈ ગેરંટી આપી શકતો નથી. હું નેશનલ ટીમ માટેના મારા દરવાજા બંધ કરી રહ્યો નથી પરંતુ હું પુનરાગમન કરીશ તેવી 100 ટકા ગેરંટી પણ આપી શકતો નથી. નેમારે ક્રોએશિયા સામેની ક્વાર્ટર ફાઇનલમાં એક ગોલ પણ કર્યો હતો. આ ગોલ સાથે તેણે બ્રાઝિલના મહાન ખેલાડી પેલેના ગોલનો રેકોર્ડ પણ સરભર કર્યો હતો. પરાજય બાદ બ્રાઝિલના કોચ ટિટેએ પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ શરમજનક પરાજય છે પરંતુ હું શાંતિથી જઈ રહ્યો છું.
ટિટે રાજીનામું આપનાર છઠ્ઠા કોચ બન્યા










