- હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરિઝની જાહેરાત થઈ
- આ સીરિઝ માટે ભારતે ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપી છે
- ટીમ ઈન્ડિયાએ ટી20 સીરિઝ માટે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ મૂક્યો
ભારતે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરિઝની જાહેરાત કરી છે. આમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતે ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપી છે. પૂર્વ ભારતીય ખેલાડી આકાશ ચોપરાએ હાર્દિક પર પ્રતિક્રિયા આપી છે. ચોપરાનું કહેવું છે કે હાર્દિકને ટી20 વર્લ્ડ કપ 2024 માટે પણ ભારતનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેમનું કહેવું છે કે ભારતીય ટીમ હવે પરિવર્તન તરફ આગળ વધી છે.
પંડ્યાએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા જ ટી-20માં ભારતની કેપ્ટનશિપ કરી છે. એક સમાચાર અનુસાર આકાશે કહ્યું, “હાર્દિક પંડ્યાને ટી-20 વર્લ્ડ કપ બાદ કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. હવે લાગે છે કે તે કેપ્ટન રહેશે. તેને આગામી T20 વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે. મને લાગે છે કે ભારતીય ટીમ હવે પરિવર્તન તરફ આગળ વધી રહી છે.










