• મહિલા T20 વર્લ્ડકપ 2024ની યજમાની બાંગ્લાદેશમાં થવાની છે
  • આરક્ષણના વિરોધના કારણે દેશની હાલત ખૂબ જ ખરાબ છે
  • બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ અધ્યક્ષ જલાલ યુનુસે રાજીનામું આપ્યું

મહિલા T20 વર્લ્ડકપ 2024ની યજમાની બાંગ્લાદેશમાં થવાની છે. પરંતુ બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધના કારણે દેશમાં ક્રિકેટની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ક્રિકેટ અધ્યક્ષ જલાલ યુનુસે પણ તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલીએ એક મોટું નિવેદન આપ્યું છે. એલિસા હીલીનું માનવું છે કે ઓક્ટોબરમાં બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડકપ રમવો યોગ્ય નથી. જો કે ICCએ હજુ આ અંગે અંતિમ નિર્ણય લીધો નથી.

T20 વર્લ્ડકપ પર એલિસા હીલીનું મોટું નિવેદન

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથે વાત કરતા હીલીએ કહ્યું, 'મારા માટે આ સમયે બાંગ્લાદેશમાં રમવું મુશ્કેલ છે, એક માણસ તરીકે મને લાગે છે કે આવું કરવું ખોટું હશે. આ એક એવા દેશ પાસેથી સંસાધનો છીનવી લેશે જે ઘણો સંઘર્ષ કરી રહ્યો છે. તેમને એવા તમામ લોકોની જરૂર છે જેઓ મૃત્યુ પામેલા લોકોને મદદ કરવા માટે ત્યાં હાજર હોઈ શકે. આ સમયે, બાંગ્લાદેશમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરતાં વધુ મહત્વની બાબતો છે, પરંતુ હું તેને ICC પર છોડી દઉં છું.

ICC મંગળવારે આ ટૂર્નામેન્ટના આયોજન અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે. જો કે, બાંગ્લાદેશ હજુ પણ તેની સ્થાનિક પરિસ્થિતિને વ્યવસ્થિત રાખવાની અને મૂળ આયોજન પ્રમાણે ટુર્નામેન્ટની યજમાનીની આશા રાખે છે. બીજી તરફ, ભારતે પોતાની જાતને હોસ્ટિંગની રેસમાંથી ખસી લીધો છે, જ્યારે સંયુક્ત આરબ અમીરાત વૈકલ્પિક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.

BCBના અધ્યક્ષે આપ્યું રાજીનામું

તાજેતરમાં જ BCB પ્રમુખ નઝમુલ હસને ક્રિકેટના હિતમાં પોતાના પદ પરથી રાજીનામું આપવાની અને સરકારને સહકાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે જ સમયે, હવે ક્રિકેટ જલાલ યુનુસ બોર્ડથી અલગ થઈ ગયા છે. તેઓ વર્તમાન બોર્ડમાંથી રાજીનામું આપનાર પ્રથમ ડિરેક્ટર છે, જે 5 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓના વિરોધને પગલે સરકારમાં બદલાવ પછી તપાસ હેઠળ છે. જલાલે કહ્યું, 'મેં ક્રિકેટના હિતમાં બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે.'

  • Follow us on: