- પાકિસ્તાની ટીમના તમામ ખેલાડીઓએ કર્યા રોઝા
- અલ્લાહની પૂજાથી 1992ની જેમ વિજય મેળવાની આશા
- વર્ષ 1992માં પણ પાકિસ્તાની ટીમે ઉપવાસ રાખ્યા
બ્રિટિશરો સામે રવિવારે MCG મેદાન પર રમાનાર 2022 T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા પાકિસ્તાની ટીમ દરેક દાવ અજમાવવા માટે તૈયાર છે જેથી તેઓ ખિતાબ પોતાના નામે કરી શકે. સુત્ર અનુસાર, પાકિસ્તાની ટીમના તમામ સભ્યો હાલમાં રોઝા રાખી રહ્યા છે. તેઓનું માનવું છે કે, આ રીતે અલ્લાહની પૂજા કરવાથી તેઓ 1992ની જેમ વિજય મેળવી શકે છે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 1992માં પણ પાકિસ્તાની ટીમે ઉપવાસ રાખ્યા હતા. જોકે, ત્યારે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હતો અને ઈદ પહેલા અલ્લાહે તેમને ઈદી આપી હતી. પાકિસ્તાનની ટીમને લાગે છે કે, તેમની સાથે ફરીથી તે જ થઈ રહ્યું છે જે 1992માં ODI વર્લ્ડ કપ દરમિયાન થયું હતું. વર્ષ 1992માં ઈમરાન ખાનની કપ્તાનીમાં પાકિસ્તાની ટીમે સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. 1992ની જેમ ફરી એકવાર પાકિસ્તાન ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.










