- ભારત-પાકિસ્તાનની મેચને લઇને ચર્ચા
- સબા કરીમે ક્રિકેટરને લઇ કર્યો દાવો
- વિરાટ કોહલી અને કેએલ રાહુલ છે બેસ્ટ
વિશ્વભરના ક્રિકેટ ચાહકો હાલમાં એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. આ બંને ટીમો માત્ર મોટી ટુર્નામેન્ટમાં જ એકબીજાની સામે આવે છે. પાકિસ્તાન સામે ફરી એકવાર ભારતીય બેટ્સમેનોની ટેસ્ટ લેવામાં આવશે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ આ સમયે પાકિસ્તાનના બોલરોનો સામનો કરવો પડશે. સાથે જ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર સબા કરીને બે એવા ખેલાડીઓ વિશે વાત કરી છે જે પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરી શકે છે.
ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન અને વરિષ્ઠ પસંદગી સમિતિના ભૂતપૂર્વ સભ્ય સબા કરીમે કહ્યું છે કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલ 2-3 સારા પ્રેક્ટિસ સેશન દ્વારા ભારત માટે યોગ્ય સમયે ફોર્મમાં પરત ફરશે. કોહલી અને રાહુલ બંને એશિયા કપ માટે ભારતની T20 ટીમમાં પરત ફરી રહ્યા છે. પરંતુ બંને માટે પડકાર એ છે કે તે ગયા વર્ષે યુનાઈટેડ આરબ અમીરાતમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ બાદ ભારત માટે નિયમિત રીતે હાજર રહ્યો નથી.










