CCએ ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને 29 નવેમ્બરે બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાકિસ્તાન દ્વારા હાઈબ્રિડ મોડલને નકારવા અને ભારતે પાકિસ્તાનની મુલાકાત ન લેવાના મુદ્દાનો ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવશે. આ બેઠક વર્ચ્યુઅલ હશે અને ICC બોર્ડ મહત્વની સર્વસંમતિ પર પહોંચ્યા પછી તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડ 29 નવેમ્બર શુક્રવારે ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠક કરશે. ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યા બાદ કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થયો છે. સાથે જ પાકિસ્તાને પણ હાઈબ્રિડ મોડલ અપનાવવાનો ઈન્કાર કરી દીધો છે. હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે છે.
ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, ગ્રેગ બાર્કલે હાલમાં આઈસીસીના અધ્યક્ષ છે અને તેઓ 1 ડિસેમ્બરે પદ છોડતા પહેલા તેમની અધ્યક્ષતામાં આ છેલ્લી બેઠક હશે. આ પછી BCCI સેક્રેટરી જય શાહ તેમનું સ્થાન લેશે. ICC બોર્ડમાં 12 પૂર્ણ સભ્ય દેશોના સભ્યોનો સમાવેશ થાય છે, જ્યારે તેમાં સહયોગી રાષ્ટ્રોના ત્રણ પ્રતિનિધિઓ, ICC અધ્યક્ષ અને CEO સાથે સ્વતંત્ર નિર્દેશકોનો પણ સમાવેશ થાય છે.
આ ટુર્નામેન્ટ આવતા વર્ષે રમાવાની છે
નોંધનીય છે કે આઠ ટીમોની આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી માર્ચ સુધી રમાવાની છે. ટુર્નામેન્ટના શિડ્યુલની હજુ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. અત્યાર સુધી, ICC ટૂર્નામેન્ટ શરૂ થવાના 100 દિવસ પહેલા વૈશ્વિક ટૂર્નામેન્ટ્સ માટે શેડ્યૂલ જાહેર કરતું હતું. ભારત સરકાર દ્વારા ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના પ્રવાસની મંજૂરી ન આપવાના કારણે કાર્યક્રમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.
આઈસીસીને આ નિર્ણય અંગે બે સપ્તાહ અગાઉ જાણ કરવામાં આવી હતી. પીસીબીને 2021માં જ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની તક આપવામાં આવી હતી અને પીસીબીએ આઈસીસીને બીસીસીઆઈ દ્વારા પ્રવાસ ન કરવા માટે આપેલા કારણો દર્શાવવા કહ્યું છે. પીસીબીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને હજુ સુધી આ મુદ્દે ICC તરફથી કોઈ જવાબ મળ્યો નથી. PCBના અધ્યક્ષ મોહસિન નકવી પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજવા પર અડગ છે.