• IPL 2024માં RCBએ CSK ને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું
  • ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર વરૂણ એરોને રાયડુ પર ફની ટિપ્પણી કરી
  • એલિમિનેટર મેચમાં RCBનો સામનો રાજસ્થાન સામે થશે

IPL 2024માં RCBએ એક મહત્વપૂર્ણ મેચમાં CSK ને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. આ સાથે IPL 2024માં CSKની સફર પણ સમાપ્ત થઈ ગઈ. જ્યાં એક તરફ RCBના ચાહકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા, તો બીજી તરફ CSKના ચાહકો નિરાશ થઈ રહ્યા હતા. આ મેચ બાદ સ્ટાર સ્પોર્ટ્સ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે અંબાતી રાયડુ સાથે મસ્તી કરી અને તેના પર ફની કમેન્ટ કરી. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

'રાયડુ RCBની જીતને પચાવી શક્યો નથી'

સ્ટાર સ્પોર્ટ્સ પર એક શો દરમિયાન અંબાતી રાયડુએ કહ્યું કે આ વખતે RCBને IPL ટ્રોફી જીતવી જોઈએ. જીત બાદ બેંગલુરુના રસ્તાઓ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. મને લાગે છે કે CSKએ તેમની એક ટ્રોફી RCBને આપવી જોઈએ, જેથી તેઓ ટ્રોફી સાથે પરેડ કરી શકે.


જે બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર વરૂણ એરોને રાયડુ પર ફની ટિપ્પણી કરી અને કહ્યું કે તે CSK પર RCBની જીતને પચાવી શક્યો નથી. IPLમાં જ્યારે અંબાતી રાયડુ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા હતા, ત્યારે વરુણ એરોન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા હતા.

એલિમિનેટર મેચમાં RCBનો સામનો રાજસ્થાન સામે થશે

RCBએ તેમની છેલ્લી લીગ મેચમાં CSKને 27 રનથી હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. RCBએ 9મી વખત IPL પ્લેઓફમાં જગ્યા બનાવી છે. હવે એલિમિનેટર મેચમાં RCBનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે.

જ્યારે RCB છેલ્લી 6 મેચોમાં એક પણ મેચ હાર્યું નથી, જ્યારે રાજસ્થાન તેની છેલ્લી 5 મેચમાં જીત્યું નથી. આ પહેલા RCB અને રાજસ્થાન IPLમાં બે વાર સામસામે આવી ચૂક્યા છે. જેમાં બંને ટીમો એક-એક વખત જીતી હતી. હવે 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બંને ટીમો વચ્ચે જંગ ખેલાશે.

  • Follow us on: