સાઉથ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના વ્હાઇટવોશ બાદ કોચ ગૌતમ ગંભીરને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોલકાતામાં કારમી હાર બાદ, સાઉથ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટમાં પણ ભારતને 408 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. આ શરમજનક હાર બાદ, ગંભીરના કોચિંગ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, અને અટકળો ચાલી રહી છે કે તેમને તેમના પદ પરથી દૂર કરવામાં આવી શકે છે. BCCIના એક સૂત્રએ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે દૂર કરવામાં આવશે કે નહીં તે અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.


શું ગૌતમ ગંભીરને હટાવવામાં આવશે?

ભારતમાં ટેસ્ટ મેચ જીતવી એ કોઈપણ ટીમ માટે મોટો પડકાર માનવામાં આવે છે, પરંતુ સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે ક્લીન સ્વીપ અપાવ્યો. આ હાર બાદ, ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરને બરતરફ કરવાની માંગણીઓ થઈ રહી છે, પરંતુ BCCI એ સ્પષ્ટતા કરી છે કે ગંભીર કોચ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનો કરાર 2027 વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે. BCCI ખેલાડીઓ અને કોચમાં વિશ્વાસ જાળવી રાખવા માગે છે

ગૌતમ ગંભીર સાથે ટૂંક સમયમાં એક બેઠક યોજાશે

એક રિપોર્ટ મુજબ, BCCIએ જણાવ્યું કે, અમે હાલમાં ગૌતમ ગંભીરને બદલવાનો વિચાર કરી રહ્યા નથી. તે ટીમનું પુનર્નિર્માણ કરી રહ્યા છે. તેમનો કરાર 2027 વર્લ્ડ કપ સુધી રહેશે. રિપોર્ટ અનુસાર, ટીમના નબળા પ્રદર્શન અંગે ગંભીર સાથે ટૂંક સમયમાં એક બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન, ટીમ તેના પ્રદર્શનમાં સુધારો કરવા અને જરૂરી નિર્ણયો લેવા અંગે ચર્ચા કરશે.

ગંભીરના ભવિષ્ય વિશે ચર્ચા થઈ

એક વર્ષથી ઓછા સમયમાં ભારતની બીજી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝની હાર બાદ, ગંભીરના ભવિષ્ય અંગે ચર્ચા થઈ હતી. કેટલાક અહેવાલોમાં એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે VVS લક્ષ્મણ ગંભીરનું સ્થાન લાલ બોલ કોચ તરીકે લઈ શકે છે. જોકે, BCCI એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગંભીરને ટીમના પુનર્નિર્માણ માટે સંપૂર્ણ સમર્થન મળશે. સાઉથ આફ્રિકા સામેની સફેદ બોલ સિરીઝના અંતે ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટરોની બેઠક પણ યોજાવાની છે.


ભારતની કારમી હાર

ભારત સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ 2-0 થી હારી ગયું હતું. બંને ટેસ્ટ મેચમાં ભારતની બેટિંગ નબળી રહી હતી, અને ટીમની રણનીતિ પર પ્રશ્નો ઉભા થયા હતા. આના કારણે કેટલાક ભૂતપૂર્વ મહાન ખેલાડીઓએ હાર માટે ગંભીરને દોષી ઠેરવ્યો હતો. ખાસ કરીને, બીજી ટેસ્ટમાં 408 રનની હાર ભારતનો ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં રનથી સૌથી મોટો હાર હતો.

ગૌતમ ગંભીરનું રિપોર્ટ કાર્ડ

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ, ભારતીય ટીમે કુલ 19 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ટીમે ફક્ત 7 જીતી, 10 હાર અને 2 ડ્રો રમી. તેમના કોચિંગ હેઠળ ભારતની ટેસ્ટ સિરીઝ જીતની ટકાવારી ફક્ત 36.84% છે.

આ પણ વાંચો- Mohammed Siraj Angry : ફ્લાઇટ ડિલે થતા સિરાજનો ફાટ્યો ગુસ્સો, સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ 

  • Follow us on: