BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ ઈન્દ્રજીત સિંહ બિન્દ્રાનું રવિવારના રોજ નવી દિલ્હીમાં અવસાન થયું. તેઓ 84 વર્ષના હતા. ઈન્દરજીત સિંહ બિન્દ્રા છેલ્લા કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. ક્રિકેટ વહીવટમાં ચાર દાયકાથી વધુ સમયનું યોગદાન આપનારા ઈન્દરજીત સિંહ બિન્દ્રાએ ભારતીય ક્રિકેટને આર્થિક રીતે આધુનિક બનાવવા અને મજબૂત બનાવવાનો શ્રેય આપવામાં આવે છે.


નવી દિલ્હીના લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર

પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે બપોરે નવી દિલ્હીના લોધી સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પરિવારમાં તેમની પત્ની કમલ બિન્દ્રા, પુત્ર અમર બિન્દ્રા અને એક પુત્રી છે. ઈન્દરજીત સિંહ બિન્દ્રાએ જગમોહન દાલમિયા સાથે મળીને ભારતને 1987 અને 1996ના ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઈન્દરજીત સિંહ બિન્દ્રાએ ICCના મુખ્ય સલાહકાર તરીકે પણ સેવા આપી હતી અને IPLની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. IPLના લોન્ચ અને ટેલિવિઝન અધિકારો દ્વારા ક્રિકેટની આવકમાં વધારો કરવામાં તેમનું યોગદાન નોંધપાત્ર હતું. ઈન્દરજીત સિંહ બિન્દ્ર 2014માં ક્રિકેટ વહીવટમાંથી નિવૃત્ત થયા.

BCCIના 23માં અધ્યક્ષ તરીકે આપી સેવા

ઈન્દરજીત સિંહ બિન્દ્રાએ ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહના ખાસ સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેમને 1993 થી 1996 સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના 23મા અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ક્રિકેટ વહીવટમાં તેમના કરિયર લગભગ ચાર દાયકા સુધી ચાલી હતી, જે 1975 થી શરૂ થઈ હતી.

ઈન્દરજીત સિંહ બિન્દ્રાને ભારતીય ક્રિકેટના વ્યાપારી વિસ્તરણના મુખ્ય શિલ્પી માનવામાં આવે છે. તેમના પ્રયાસો, તત્કાલીન વહીવટકર્તા જગમોહન દાલમિયાના પ્રયાસો સાથે, ટેલિવિઝન અધિકારો દ્વારા ભારતીય ક્રિકેટમાં નોંધપાત્ર નાણાકીય વૃદ્ધિ તરફ દોરી ગયા અને BCCI એક નાણાકીય પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું.

ઈન્દરજીત સિંહ બિન્દ્રાએ પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે આપી સેવા

પંજાબ ક્રિકેટ એસોસિએશનમાં પણ મહત્વપૂર્ણ હોદ્દા સંભાળી ચૂકેલા ઈન્દરજીત સિંહ બિન્દ્રાએ 1978 થી 2014 સુધી પંજાબ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 2015માં તેઓ PCA ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે તેમના વિઝનનું પરિણામ મોહાલીના PCA સ્ટેડિયમનું નામ બદલીને IS બિન્દ્રા પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ રાખવામાં આવ્યું. ભારતીય ક્રિકેટ વહીવટમાં તેમના યોગદાનને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

આ પણ વાંચો: Virat Kohli અને અનુષ્કા શર્માએ લંડનના ઘરે કરી ધાર્મિક પૂજા, તસવીર થઈ વાયરલ

  • Follow us on: