વિરાટ કોહલીએ IPL 2025 દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કિંગ કોહલીના આ અચાનક નિર્ણયથી બધા ચોંકી ગયા હતા. હવે નિવૃત્તિ પછી રિષભ પંતે વિરાટ કોહલીની સિગ્નેચર વસ્તુ સંભાળી લીધી છે અને તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પંત લગભગ ત્રણ મહિના પછી મેદાનમાં પાછો ફર્યો છે. પરંતુ તેને એક આશ્ચર્યજનક નિર્ણય લીધો.


રિષભ પંતે વિરાટ કોહલીની ખાસ વસ્તુ લીધી

રિષભ પંતે 30 ઓક્ટોબરના રોજ ભારત A અને સાઉથ આફ્રિકા A વચ્ચેની ચાર દિવસીય ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. પરંતુ તેને પોતાની જર્સી નંબર 17 પહેરી ન હતી, તેના બદલે વિરાટ કોહલીની મનપસંદ જર્સી નંબર 18 પહેરી હતી, જેનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રિષભ પંતે 18 નંબરની જર્સી પહેરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે એવું માનવામાં આવે છે કે તે ભારત તરફથી ટેસ્ટ મેચોમાં રમશે ત્યારે 18 નંબરની જર્સી પહેરશે.


ઈજા બાદ પંતની વાપસી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની સિરીઝની ચોથી ટેસ્ટમાં રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. તેને ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો અને બોલ તેના પગમાં વાગ્યો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

રિષભ પંત ઈંગ્લેન્ડ સામેની પાંચમી મેચ પણ ચૂકી ગયો. આ લગભગ 3 મહિના પછી મેદાનમાં તેની વાપસી દર્શાવે છે. તેમે છેલ્લે 23 જુલાઈ 2025ના રોજ ઈંગ્લેન્ડ સામે ભારત માટે ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેને 54 રન બનાવ્યા હતા.


  • Follow us on: