ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાશે. આ સિરીઝ માટે સ્મૃતિ મંધાનાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે.


સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના નવેમ્બર 2025માં પલાશ મુછલ સાથે લગ્ન કરવાના હતા. પરંતુ આ લગ્ન થયા ન હતા. તમને જણાવી દઈએ કે તૂટેલા લગ્નજીવન પછી સ્મૃતિ મંધાના ક્યારે મેદાનમાં પરત ફરશે.

લગ્નના દિવસે જ લગ્ન તૂટ્યા

સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન નવેમ્બર 2025 માં મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા. પરંતુ લગ્ન લગ્નના દિવસે જ રદ્દ કરવામાં આવ્યા હતા. પલાશ અને સ્મૃતિ મંધાનાના સંબંધોનો પણ અંત આવ્યો. સ્મૃતિ મંધાનાના ફેન્સ તેને મેદાન પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સ્મૃતિ મંધાના ક્યારે મેદાનમાં પરત ફરશે.

સ્મૃતિ મંધાના ક્યારે પરત ફરશે?

સ્મૃતિ મંધાના 21 ડિસેમ્બરે શ્રીલંકા સામે પાંચ મેચની T20I સિરીઝની પહેલી મેચમાં ભારત તરફથી રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે રમાશે. વર્લ્ડકપ 2025 પછી આ ભારતની પહેલી મેચ હશે. ભારતે મહિલા ODI વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. સ્મૃતિ મંધાના આ ટુર્નામેન્ટમાં ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. તેણે 9 ઈનિંગમાં 54.25 ની એવરેજથી 434 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 3 અડધી સદી ફટકારી હતી.

5 મેચની T20 સિરીઝ માટે બંને ટીમોની ટીમો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા, હરલીન દેઓલ, અમનજોત કૌર, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર, રિચા ઘોષી (વિકેટકીપર), જી કમલિની (વિકેટકીપર), શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા.

શ્રીલંકા મહિલા ક્રિકેટ ટીમ

ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), હાસિની પરેરા, વિશમી ગુણરત્ને, હર્ષિતા સમરવિક્રમા, નીલાક્ષિકા ડી સિલ્વા, કવિશા દિલહારી, ઈમેશા દુલાની, કૌશિની નુથ્યાંગના (વિકેટકીપર), માલશા શેહાની, ઈનોકા રાણાવીરા, શશિની ગિમ્હાની, નિમેશ મદુશાની, કાવ્યા કવિંદી, રશ્મિકા સેવંદી, મલ્કી મદારા.

આ પણ વાંચો: Team Indiaની ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે જાહેરાત, આ ખેલાડીઓને મળી તક



  • Follow us on: