ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 42મી લીગ મેચ ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી, તેને 35 રન પર બંને ઓપનિંગ બેટ્સમેન ગુમાવ્યા હતા.
આરસીબીના કેપ્ટન રજત પાટીદારે દેવદત્ત પડિકલ સાથે મળીને ઈનિંગને સ્થિર કરી અને ઝડપી રન-સ્કોરિંગ પાર્ટનરશીપ શરૂ કરી. બંનેએ ત્રીજી વિકેટ માટે 44 રનની પાર્ટનરશીપ કરી હતી જ્યારે રજત પાટીદારે અરશદ ખાનના બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેના કેચ અંગે થર્ડ એમ્પાયરના નિર્ણયથી વિવાદ થયો, જેમાં વિરાટ કોહલી ખાસ કરીને નાખુશ હતો.
વિરાટ કોહલી ચોથા એમ્પાયર સાથે દલીલ કરતો મળ્યો જોવા
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 7 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 71 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ તરફથી ઈનિંગની 8મી ઓવર ફેંકવા આવેલા અરશદ ખાન દ્વારા ફેંકવામાં આવેલી ઓવરના પહેલા 3 બોલમાં રજત પાટીદારે 8 રન બનાવ્યા હતા. આ પછી, ચોથા બોલ પર તેને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ શોટ રમ્યો, જે હવામાં ખૂબ જ ઉંચો ગયો. આ દરમિયાન ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા જેસન હોલ્ડરે દોડીને બોલ પકડવા માટે ડાઈવ લગાવી. પરંતુ આ સમય દરમિયાન, તેને જે હાથથી કેચ લીધો હતો તે સરકી રહ્યો હતો અને જમીનને સ્પર્શી રહ્યો હતો.
ફિલ્ડ એમ્પાયરે કેચ ચકાસવા માટે થર્ડ એમ્પાયરને નિર્ણય મોકલ્યો, જેને રિપ્લે જોયા પછી રજત પાટીદારને આઉટ જાહેર કર્યો. ડગઆઉટમાં બેઠેલા વિરાટ કોહલી આ નિર્ણયથી ખૂબ ગુસ્સે જોવા મળ્યો હતો અને નજીકમાં ઉભેલા ચોથા એમ્પાયર સમક્ષ નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યો હતો, જેમાં તેમના સિવાય આરસીબી ટીમના મુખ્ય કોચ એન્ડી ફ્લાવર પણ હાજર હતા. આ મેચમાં 15 બોલનો સામનો કર્યા પછી અને 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19 રનની ઈનિંગ રમીને રજત પાટીદાર પેવેલિયન પરત ફર્યો.
કોહલી માત્ર 28 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો
ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં બધાને વિરાટ કોહલી પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી. તેને ઈનિંગની બીજી ઓવરમાં શાનદાર શરૂઆત કરી, કાગીસો રબાડા સામે સતત 5 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ તે તેને મોટી ઈનિંગમાં રૂપાંતરિત કરવામાં અસમર્થ રહ્યો. વિરાટ કોહલીએ 13 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા, પરંતુ કાગીસો રબાડાના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તેને પોતાની વિકેટ ગુમાવી દીધી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો