IPL 2026ની 41મી મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના બધા ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને રમી રહ્યા છે. મેચ શરૂ થતાં જ ચર્ચા થઈ રહી છે કે આખી ટીમે બ્લેક પટ્ટી કેમ પહેરી છે.


મુંબઈ ઈન્ડિયન્સે ટીમના સપોર્ટ સ્ટાફ સભ્યની પુત્રીના અકાળે અવસાનની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ દુ:ખદ સમયમાં પરિવાર સાથે સંવેદના અને એકતા વ્યક્ત કરવા માટે આખી ટીમે આ નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઈઝીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ પગલું શોકગ્રસ્ત પરિવાર સાથે એકતામાં લેવામાં આવ્યું છે.

મુંબઈએ જીત્યો ટોસ

મેચની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર ખેલાડીઓના હાથ પર બ્લેક પટ્ટી પહેરવાનું કારણ જાહેર કર્યું. પરંતુ જે સભ્યની પુત્રીનું અવસાન થયું તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.


રોહિત શર્મા આજે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી બહાર થઈ ગયો છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે તે ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, અને તેને પાછા ફરવા માટે હજુ બે મેચનો સમય લાગશે. રોબિન મિન્ઝ સાથે રાયન રિકલ્ટનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ફક્ત એક ફેરફાર સાથે મેચમાં પ્રવેશ કર્યો. SRHના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે "જો અમે ટોસ જીતીએ તો અમે પહેલા બોલિંગ કરી હોત, તેથી અમે ખુશ છીએ. આ પિચ કંઈક અલગ માગી શકે છે. અમારી પાસે ફક્ત એક ફેરફાર છે. શિવાંગની જગ્યાએ હર્ષ દુબેનો સમાવેશ થાય છે."

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: