મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 માં સંઘર્ષ કરી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સને તેમની પહેલી મેચમાં હરાવ્યા બાદ MI ને સતત 3 હારનો સામનો કરવો પડ્યો છે. તેમની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે છે, જેને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી.

પંજાબ કિંગ્સને હરાવવું મુંબઈ ઈન્ડિયન્સ માટે સરળ નહીં હોય. હવે મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. રોહિત શર્મા પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમી શકશે નહીં.

રોહિત શર્માની ઈજા અંગે અપડેટ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ કારણોસર તે રિટાયર્ડ હર્ટ થયો હતો. આ પછી રોહિત ફરી બેટિંગમાં પરત ફર્યો નહીં. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મુખ્ય સભ્ય છે, અને તેની ઈજાએ ફેન્સમાં ચિંતા વધારી છે. મીડિયા રિપોર્ટ મુજબ રોહિત શર્માને તેની હેમસ્ટ્રિંગ ઈજા સંબંધિત સ્કેન કરાવવામાં આવશે. આનાથી ઈજાની ગંભીરતા નક્કી થશે.

https://twitter.com/CricCrazyJohns/status/2043954837566697963

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 16 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે રોહિતની ભાગીદારી અનિશ્ચિત છે. જો તેનો મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવે તો જ તે રમી શકે છે. પરંતુ ટુર્નામેન્ટ હમણાં જ શરૂ થઈ છે, અને મુંબઈ ઈન્ડિયન્સ તેમના સ્ટાર ખેલાડી રોહિત સાથે કોઈ જોખમ લેવા માગશે નહીં. આ પરિસ્થિતિમાં MI તેને એક મેચ માટે આરામ આપી શકે છે. PBKS સામે રોહિતની ભાગીદારી અત્યંત અસંભવિત લાગે છે.

જો રોહિત શર્મા નહીં રમે તો કોને તક મળશે?

જો રોહિત શર્મા પંજાબ કિંગ્સ સામે નહીં રમે, તો ક્વિન્ટન ડી કોકને તક મળી શકે છે. તેને સામેલ કરવા માટે ટ્રેન્ટ બોલ્ટ અથવા મિચેલ સેન્ટનરને બેન્ચ પર રાખવામાં આવી શકે છે. MI શક્તિશાળી ઓપનર દાનિશ માલેવરને પણ તક આપી શકે છે. આનાથી મુંબઈ ઈન્ડિયન્સને તેમના અન્ય કોમ્બિનેશન બદલવાથી બચી શકાશે. વધુમાં તેમની પાસે સૂર્યકુમાર યાદવનો વિકલ્પ છે, જેને MI માટે પહેલા ઓપનિંગ કરી છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો