શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સે શનિવારે દિલ્હી કેપિટલ્સ પર 6 વિકેટથી વિજય મેળવીને ઈતિહાસ રચ્યો હતો. પંજાબે 265 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જે ફક્ત આઈપીએલમાં જ નહીં પરંતુ T20 ઈતિહાસમાં પણ સૌથી સફળ રન ચેઝ બન્યો હતો.
પ્રભસિમરન સિંહના 26 બોલમાં 76 રન અને પ્રિયાંશ આર્યના 17 બોલમાં 43 રને ટીમને ઝડપી શરૂઆત અપાવી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ ઐયરે 36 બોલમાં અણનમ 71 રન બનાવીને મેચનો અંત કર્યો. પંજાબે 7 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધું. આ ઐતિહાસિક વિજય બાદ ટીમ ખુશ થઈ ગઈ. ટીમના સહ-માલિક પ્રીતિ ઝિન્ટાએ મેદાન પર આવીને ખેલાડીઓને અભિનંદન આપ્યા.
પ્રીતિ ઝિન્ટા પ્રિયાંશ આર્યાને માર્યો મુક્કો
પ્રિયાંશ આર્ય સાથે વાત કરતી વખતે પ્રીતિએ મજાકમાં તેને મુક્કો માર્યો, જેનાથી ખેલાડીએ ફની જવાબ આપ્યો. કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કહ્યું કે "ઓહ, તે એક સારો મુક્કો હતો." આ જીત સાથે પંજાબ કિંગ્સ IPL 2026 માં અજેય રહી.
નીતિશ રાણાએ પણ 44 બોલમાં 91 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેને અને રાહુલે બીજી વિકેટ માટે 95 બોલમાં 220 રનની પાર્ટનરશીપ કરી. પ્રથમ ઈનિંગ પછી દિલ્હી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, પરંતુ પંજાબ કિંગ્સે શાનદાર વળતો હુમલો શરૂ કર્યો.
પ્રભસિમરન અને પ્રિયાંશે માત્ર 6.5 ઓવરમાં 126 રનની પાર્ટનરશીપ સાથે જીતનો પાયો નાખ્યો. ત્યારબાદ શ્રેયસ ઐયરે તે શરૂઆતનો લાભ ઉઠાવ્યો અને ટીમને વિજય તરફ દોરી ગયો.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો