અભિષેક શર્મા T20 વર્લ્ડકપ 2026ના લીગ તબક્કામાં ભારત માટે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે. શરૂઆતમાં બેટિંગ કરવા ઉતરેલા અભિષેકે ત્રણ મેચ રમી અને ત્રણેય મેચમાં શૂન્ય પર આઉટ થઈ પરત ફર્યા. હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું સુપર-8માં અભિષેકની ભારતની રમતી પ્લેઈંગ 11માંથી બહાર થશે? ભારત પાસે અભિષેક સિવાય શરૂઆત માટે સંજુ સેમસન રૂપે એક ઓપ્શન ઉપલબ્ધ છે. જોકે સંજુને પણ ટૂર્નામેન્ટમાં એક તક મળી હતી, જેમાં તેઓ ખાસ કંઈ કરી શક્યા નહોતા. પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ છે કે સંજુનું પ્રદર્શન અભિષેક કરતા સારું રહ્યું હતું.
અભિષેક સંપૂર્ણ નિષ્ફળ, સંજુ પણ કંઈ ખાસ નહીં કરી શક્યા
અભિષેક તો ત્રણેય મેચમાં શૂન્ય પર આઉટ થઈ ગયા છે. આ તેમનો પહેલો T20 વર્લ્ડકપ છે, જેમાં તે હજી સુધી ખાતું ખોલી શક્યો નથી. બીજી તરફ, સંજુને નામીબિયા સામેની મેચમાં અભિષેકની ગેરહાજરીમાં તક મળી હતી. તે મેચમાં સંજુ 22 રન બનાવી આઉટ થયો હતો. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ પાસે રમતી પ્લેઈંગ 11માં ફેરફાર કરવાની તક છે, પરંતુ સંજુની હાલની ફોર્મ પર પણ વધુ વિશ્વાસ કરી શકાય તેમ નથી.













