ભારતીય ટીમ ICC T20 વર્લ્ડકપ 2026માં ગુરુવારે 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે નામિબિયા સામે પોતાની બીજી મેચ રમશે. પરંતુ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે કેટલાક ખરાબ સમાચાર આવ્યા છે.
ટીમનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને ટ્રેનિંગ સેશન દરમિયાન ઈજા થઈ હતી. નેટ સેશન દરમિયાન જસપ્રીત બુમરાહનો બોલ રમતા તેને ઈજા થઈ હતી. પરંતુ ઈશાન કિશનની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ નથી.
ઈશાન કિશન થયો ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયા નામિબિયા સામેની મેચ પહેલા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી. ઈશાન કિશન નેટમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જસપ્રીત બુમરાહનો એક ઘાતક યોર્કર બોલ ઈશાન કિશનના ડાબા પગના અંગૂઠામાં વાગ્યો. ઈજા બાદ ઈશાનને ખૂબ દુખાવો થતો હોય તેવું લાગતું હતું અને તે પોતાનું બેટ છોડીને મેદાન પર સૂઈ ગયો. ફિઝિયો તરત જ મેદાન પર આવ્યો, તેની ઈજાનું નીરિક્ષણ કરી અને પેઈન રિલીફ સ્પ્રે લગાવ્યો. પરંતુ થોડા આરામ પછી ઈશાન લગભગ 5 મિનિટ સુધી ફરીથી બેટિંગ કરી અને આખરે સ્વસ્થ જોવા મળ્યો.
https://twitter.com/Hitman_Hits264/status/2021594897636348115
અભિષેક શર્માને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર એ છે કે અભિષેક શર્મા હવે સંપૂર્ણપણે ફિટ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિષેક છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો અને પેટમાં ચેપને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. મીડિયા સાથે વાત કરતા તિલક વર્માએ કહ્યું કે અભિષેકને આજે બુધવારે રજા આપવામાં આવી છે, પરંતુ તે મેચમાં રમશે કે નહીં તે મેચના દિવસે નક્કી કરવામાં આવશે.
T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ, મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો: Team Indiaના ખેલાડીઓ પર T20 વર્લ્ડકપ દરમિયાન લાગ્યા ગંભીર આરોપ, બેટ ટેમ્પરિંગને લઈને ઉઠ્યો સવાલ!