પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો નાટક ચાલુ છે. ICC T20 વર્લ્ડકપ શરૂ થવામાં થોડા દિવસો બાકી છે, પરંતુ પાકિસ્તાને હજુ સુધી ભાગ લેવા માટે સંમતિ આપી નથી. આ દરમિયાન ICCએ છેલ્લી ઘડીએ કોઈપણ વિક્ષેપના કિસ્સામાં એક યોજના પણ તૈયાર કરી છે.

જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ T20 વર્લ્ડકપમાંથી ખસી જવાની જાહેરાત કરે છે, તો શું બાંગ્લાદેશ પરત ફરી શકશે? આ એક નવી વાત છે.

શાહબાઝ શરીફને મળ્યા પછી પણ PCB ચીફ મોહસીન નકવી રહ્યા ચૂપ

સોમવારે પીસીબીના વડા મોહસીન નકવીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ બેઠક T20 વર્લ્ડકપમાં ભાગ લેવા અંગે હતી. બેઠક દરમિયાન શું થયું તે જાણી શકાયું નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે પાકિસ્તાન શુક્રવાર કે સોમવાર સુધીમાં ભાગ લેવાનો નિર્ણય લેશે. પીસીબી કહે છે કે તે બધા વિકલ્પો ખુલ્લા રાખી રહ્યું છે.

ICCએ પાકિસ્તાનને આપી ચેતવણી

આ દરમિયાન ICCએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. ICCએ જણાવ્યું છે કે જો પાકિસ્તાન T20 વર્લ્ડકપમાં ભાગ લેવાની ના પાડે છે, તો તેને અનેક મેચમાં બેનનો સામનો કરવો પડી શકે છે અને PCL પણ જોખમમાં મુકાઈ શકે છે. એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાન ભારત સામેની મેચનો બોયકોટ કરવાનું પણ વિચારી રહ્યું છે, પરંતુ PCBએ હજુ સુધી આ બાબતે કોઈ કોમેન્ટ કરી નથી. આ દરમિયાન એક નવું અપડેટ સામે આવ્યું છે.

જો પાકિસ્તાનને બહાર રાખવામાં આવે તો બાંગ્લાદેશ મળી શકે છે એન્ટ્રી

મીડિયા રિપોર્ટ મુજબ જો પાકિસ્તાન T20 વર્લ્ડકપને બોયકોટ કરે છે અને પોતાનું નામ પાછું ખેંચે છે, તો ICC બાંગ્લાદેશને પાછું બોલાવી શકે છે. T20 વર્લ્ડકપ 2026 માં પાકિસ્તાન ગ્રુપ A માં છે. ટીમ ઈન્ડિયા પણ એ જ ગ્રુપમાં છે. પાકિસ્તાને તેની કોઈ મેચ ભારતમાં રમવાની નથી, તેને ફક્ત શ્રીલંકામાં જ વર્લ્ડકપ રમવાનો છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ શરૂઆતથી જ માગ કરી રહ્યું છે કે તેઓ ભારતમાં પોતાની મેચ રમવા માગતા નથી, તેમને શ્રીલંકામાં એક સ્થળ આપવામાં આવે. આ માટે બાંગ્લાદેશ પોતાનું ગ્રુપ બદલવા માટે પણ તૈયાર હતું.

પાકિસ્તાને ટૂંક સમયમાં લેવો પડશે નિર્ણય

આનો અર્થ એ થયો કે પાકિસ્તાનને બહાર કરવાથી કોઈપણ નવી ટીમની એન્ટ્રી અટકશે. બાંગ્લાદેશને ફક્ત પરત આમંત્રણ આપવામાં આવશે. આનાથી બાંગ્લાદેશની સમસ્યાનો ઉકેલ આવશે અને નવી ટીમ લાવવાની ઝંઝટ દૂર થશે. વધુમાં આ અભિગમ બાંગ્લાદેશની ગેરકાયદેસર માગણીઓ સામે ICCના નમતું જોખવાનું પણ અટકાવશે. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે PCB કેટલીક ભૂલો કરશે. શુક્રવાર સુધીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ T20 વર્લ્ડકપમાં ભાગ લેવા અંગે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: T20 World Cup Trophyની કેટલી છે કિંમત? જાણો ટ્રોફીની શું છે ખાસિયતો