ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ 7 વર્ષ પછી વિજય હજારે ટ્રોફીમાં પરત ફરવાનો ખૂબ આનંદ માણ્યો. 24 ડિસેમ્બરે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સિક્કિમ સામે મુંબઈની શાનદાર જીતે ઉત્સાહ અને મનોરંજનમાં કોઈ કમી નહોતી રાખી.


"હિટમેન" એ માત્ર 94 બોલમાં 155 રન ફટકારીને મુંબઈને 8 વિકેટથી જીત અપાવી. પરંતુ આ મેચ અન્ય ઘણા કારણોસર પણ ચર્ચાનો વિષય બની છે.

'રોહિત-રોહિતના નારાજ

જ્યારે સિક્કિમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારે રોહિત ઘણી વખત બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો, અને "રોહિત, રોહિત" ના નારાથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું. દરેક વ્યક્તિ "હિટમેન" ની એક ઝલક જોવા માટે ઉત્સુક જોવા મળ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 20,000 થી વધુ લોકો હાજર હતા. આ સમય દરમિયાન એક ફની ઘટના બની.


ફેને રોહિત શર્માને પૂછ્યું-'તમે વડાપાવ ખાશો?'

સ્ટેડિયમમાં જોરદાર અવાજ વચ્ચે એક ફેને મજાકમાં પૂછ્યું કે "રોહિત ભાઈ... શું તમે વડાપાવ ખાવા માગો છો?" બાઉન્ડ્રી પર ઊભેલા "હિટમેન" એ પછી નમ્રતાપૂર્વક પરંતુ ફની રીતે હાથ લહેરાવીને ના પાડી. આ નાની મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ અને સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો હસ્યા વગર રહી શક્યા નહીં.

વડાપાઉનો સવાલ શા માટે?

વડાપાવ એ મુંબઈ અને મહારાષ્ટ્રની સ્થાનિક ખાદ્ય સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે. "હિટમેન" દેશની આર્થિક રાજધાનીનો હોવાથી ફેન ઘણીવાર તેને આ ખોરાક સાથે જોડે છે. રોહિત શર્મા પહેલા પણ વડાપાવ ખાતા જોવા મળ્યા છે અને ફેનને એવું લાગે છે કે રોહિતને વડાપાવ ખૂબ ગમે છે.

  • Follow us on: