ACC એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં ટીમમાં કેટલાક ફેરફારો જોવા મળી રહ્યા છે.


ભારતીય ટીમ ફેબ્રુઆરી 2025 થી કોઈ T20 મેચ રમી નથી. આ પરિસ્થિતિમાં ક્રિકેટ ફેન્સ આશા રાખી રહ્યા હતા કે ટુર્નામેન્ટથી ટીમ ઈન્ડિયાનો કેમ્પ યોજાઈ શકે છે. આને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. આ સાથે તારીખ પણ બહાર આવી છે, જ્યારે ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના થશે.

ટીમ ઈન્ડિયા દુબઈ જવા ક્યારે રવાના થશે?

મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયા 4 કે 5 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2025 માટે દુબઈ રવાના થશે. આ સાથે એ પણ સામે આવ્યું છે કે ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટ પહેલા કોઈપણ કેમ્પમાં ભાગ લેશે નહીં. IPL પછી બધા ભારતીય ખેલાડીઓ T20 ફોર્મેટમાં રમવાના છે. આ પરિસ્થિતિમાં ફેન્સની નજર બધા પર રહેશે.

ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટ સાથે T20 વર્લ્ડકપ 2026 માટે પણ તૈયારી શરૂ કરશે. જેના કારણે બધા ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને પોતાનો દાવો રજૂ કરવા જઈ રહ્યા છે. પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કરીને દરેક પાસે હીરો બનવાની સારી તક છે.


ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે રમશે પહેલી મેચ

આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની શરુઆત 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યારે ટીમ ઈન્ડિયા યુએઈ સામે રમશે. પરંતુ ટુર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાશે. જ્યાં ટીમ ઈન્ડિયા પર ઘણું દબાણ રહેવાનું છે. ટીમ ઈન્ડિયા 19 સપ્ટેમ્બરે ઓમાન સામે પોતાની ત્રીજી મેચ રમવા જઈ રહી છે. શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ ઘણા સમય પછી ભારતીય ટીમમાં જોવા મળશે.

એશિયા કપ માટેની ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હર્ષિત રાણા.

  • Follow us on: