- શનિવારની મેચમાં પણ રમ્યા નહીં મેક્સવેલ
- મેક્સવેલ મેદાનની બહાર પણ ન મળ્યા જોવા
- માનસિક અને શારીરિક આરામની છે જરૂરઃમેક્સવેલ
આઈપીએલ 2024માં સતત હારથી પરેશાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમનું ટેન્શન વધ્યું છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે આઈપીએલ 2024માંથી બ્રેક લીધો છે. જો કે આ ખેલાડીનું આ સીઝનમાં પરફોર્મન્સ પણ ઘણું ખરાબ રહ્યું હતું. હા અહીં વાત થઈ રહી છે ગ્લેન મેક્સવેલની.
શનિવારની મેચમાં પણ ન રહ્યા સામેલ
ખરાબ પરફોર્મન્સની સામે ઝઝૂમી રહેલા મેક્સવેલે આઈપીએલ 2024 સીઝન-17માંથી બ્રેક લીધો છે. શનિવાર 15 માર્ચે આઈપીએલ 2024માં 30મી મેચ આરસીબી અને હૈદરાબાદની વચ્ચે રમાશે. આ મેચમાં મેક્સવેલ રમ્યા ન હતા. અહીં મેક્સવેલ બાહર બેઠેલા પણ જોવા મળ્યા નહીં.
આઈપીએલ 2024માં રહ્યું ખરાબ પરફોર્મન્સ
આ સીઝનમાં મેક્સવેલ ખરાબ પરફોર્મન્સમાં જોવા મળ્યા. આ મેચમાં મેક્સવેલ ટીમને નિરાશ કરતા જોવા મળ્યા હતા. એક પણ મેચમાં તેમની બેટિંગમાં કોઈ સારો સ્કોર મળ્યો ન હતો. આ પછી મેક્સવેલ પર પણ સવાલો થઈ રહ્યા હતા. આ સીઝનમાં મેક્સવેલે 6 મેચ રમી છે જેમાં તેઓએ 5.33ની સરેરાશ અને 94.11ના સ્ટ્રાઈક રેટથી ફક્ત 32 રન બનાવ્યા હતા. આ સમયે મેક્સવેલ 3 વાર ડક આઉટ પણ થયા.
મેક્સવેલે જણાવ્યું આઈપીએલ છોડવાનું કારણ
આઈપીએલ 2024ના બ્રેક લેતા પહેલા ગ્લેન મેક્સવેલે કહ્યું કે આ મારા માટે સરળ નિર્ણય હતો કે હવે મારી જગ્યાએ ટીમમાં કોઈ અન્યને અવસર આપવામાં આવે. મારા માટે પોતાને થોડી માનસિક અને શારીરિક આરામની જરૂર છે. તેને લઈને મેં કોચ અને કેપ્ટન સાથે વાત કરી હતી. જો આવનારા સમયમાં ટીમને મારી જરૂર પડે છે તો હું નિશ્ચિત રીતે યોગ્ય માનસિકતા સાથે વાપસી કરીશ. ટીમને પાવર પ્લે બાદ મારાથી જે રીતના પ્રદર્શનની આશા છે તે હું કરી રહ્યો નથી.
હાર બાદ આરસીબીને ઝટકો
આરસીબીને માટે આ સીઝન ઘણી ખરાબ રહી છે. ટીમ અત્યાર સુધી 7માંથી 6 મેચ હારી છે. આરસીબીને અત્યાર સુધી ફક્ત 1 જીત મળી છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ટીમ સૌથી નીચે 10મા સ્થાને છે. અહીંથી એક અન્ય હાર આરસીબીને પ્લેઓફથી બહાર કરી દેશે.