- હરમનપ્રીતે નબળા અમ્પાયરિંગ પર નારાજગી વ્યક્ત કરી
- હરમનપ્રીતે કહ્યું કે તે કેટલાક નિર્ણયોથી ખુશ નથી
- તેણે અમ્પાયરિંગને ખૂબ જ ખરાબ ગણાવ્યું
મહિલા ક્રિકેટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ રમાઈ હતી. સીરિઝની છેલ્લી મેચ ટાઈ થઈ હતી. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મેચ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે નબળા અમ્પાયરિંગ પર નારાજગી વ્યક્ત કરી હતી. હરમનપ્રીતે કહ્યું કે તે કેટલાક નિર્ણયોથી ખુશ નથી. તેણે અમ્પાયરિંગને ખૂબ જ ખરાબ ગણાવ્યું. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝની ત્રીજી અને છેલ્લી વનડે ઢાકામાં રમાઈ હતી.
હું કેટલાક નિર્ણયોથી ખુશ નથી: હરમનપ્રીત
હરમનપ્રીતે મેચ બાદ કહ્યું, મને લાગે છે કે આ મેચમાંથી અમને ઘણું શીખવા મળ્યું છે. ક્રિકેટ સિવાય વાત કરી તો અહીં જે પ્રકારનું અમ્પાયરિંગ થાય છે તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું. જ્યારે અમે આગલી વખતે આવીશું, ત્યારે અમે આ પ્રકારના અમ્પાયરિંગ માટે પહેલેથી જ તૈયાર થઈશું. મેં અગાઉ પણ કહ્યું હતું કે અહીં ખૂબ જ નબળી અમ્પાયરિંગ રહી છે. હું કેટલાક નિર્ણયોથી ખુશ નથી.










