ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થમાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. આ સિરીઝ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે અને તે સ્પષ્ટ થઈ જશે કે કઈ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે. ભારતે ઓછામાં ઓછી 4 ટેસ્ટ જીતવી જરૂરી છે. આ ઉપરાંત એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે તે એક પણ મેચ હારી ન જાય. ભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.