આ દિવસોમાં ભારતીય ટેસ્ટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ મેચમાં જસપ્રિત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી અને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.


પહેલા ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઈ હતી, જેમાં તેણે 6 વિકેટે જીત મેળવી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચમાં મોટુ મન બતાવ્યું. તેમણે કેએલ રાહુલ માટે પોતાની ઓપનિંગ પોઝિશનનું બલિદાન આપ્યું.

કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે 

 કેએલ રાહુલે પ્રેક્ટિસ મેચમાં યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી હતી. આ બંનેએ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં પણ ઓપનિંગ કરી હતી. રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં રમ્યો ન હતો. પરંતુ હવે કેપ્ટનન પરત ફર્યો છે. આવી સ્થિતિમાં રોહિતે ઓપનિંગ ન કરી અને તે પ્રેક્ટિસ મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો.

જોકે રોહિત ફ્લોપ રહ્યો હતો. તે 11 બોલ રમીને માત્ર 3 રન બનાવી શક્યો હતો. ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડમાં રમાશે. આવી સ્થિતિમાં સમજી શકાય છે કે રાહુલ અને યશસ્વી ઓપનિંગ કરી શકે છે. જ્યારે રોહિત મિડલ ઓર્ડરમાં આવી શકે છે. આ રીતે સમજી શકાય છે કે પીંક બોલ ટેસ્ટમાં ફરી એકવાર ઓપનિંગ કરવાની મોટી જવાબદારી કેએલ રાહુલને મળવા જઈ રહી છે.

રોહિત છઠ્ઠા નંબર પર ખતરનાક 

રોહિત શર્મા 5 કે છ નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. શુભમન ગિલ ત્રીજા અને વિરાટ કોહલી ચોથા નંબર પર રહેશે. તમને જણાવી દઈએ કે રોહિતે અત્યાર સુધી 9 ટેસ્ટ મેચમાં 5માં નંબર પર બેટિંગ કરી છે. આ દરમિયાન તેણે 16 ઇનિંગ્સમાં 29.13ની એવરેજથી 437 રન બનાવ્યા હતા. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 79 રન હતો.

જ્યારે છઠ્ઠા નંબર પર તેની સર્વશ્રેષ્ઠ સરેરાશ (તેમની કારકિર્દીમાં) 54.57 છે. છઠ્ઠા નંબર પર રોહિતે 16 ટેસ્ટની 25 ઇનિંગ્સમાં 1037 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 સદી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 177 રન હતો. આ રીતે ઓપનિંગ સિવાય છઠ્ઠા નંબર પર રોહિત સૌથી ખતરનાક સાબિત થાય છે.

આ 2 ખેલાડીઓ થઇ શકે બહાર 

શુભમન ગિલ પણ પ્રથમ ટેસ્ટમાં રમ્યો ન હતો. તે ઘાયલ થયો હતો. પરંતુ ગિલે પ્રેક્ટિસ મેચમાં હલચલ મચાવી દીધી હતી. તેણે 62 બોલમાં અણનમ 50 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં એડિલેડ ટેસ્ટમાં પણ ગિલની વાપસી નિશ્ચિત જણાય છે. આ રીતે સુકાની રોહિતને એક મુશ્કેલ પ્રશ્ન થશે કે તેના અને ગીલની વાપસીને કારણે પ્લેઇંગ-11માંથી કોને બહાર કરવામાં આવે?

ત્યારે શક્યતા છે કે પ્લેઈંગ-11માં રોહિત અને ગિલની એન્ટ્રીનો રસ્તો બનાવવા માટે દેવદત્ત પડિક્કલ અને ધ્રુવ જુરેલને પડતો મૂકવામાં આવી શકે છે. આ બંને પર્થ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. પડિક્કલ પ્રથમ દાવમાં ખાતું ખોલાવી શક્યો ન હતો, જ્યારે બીજી ઈનિંગમાં તેણે 25 રન બનાવ્યા હતા. જ્યારે જુરેલ બંને ઇનિંગ્સમાં 11 અને 1 રન જ બનાવી શક્યો હતો.

એડિલેડ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ-11

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

  • Follow us on: