બે મેચની ટેસ્ટ સીરીઝ બાદ હવે ભારત અને બાંગ્લાદેશની ટીમો T20 સિરીઝમાં સામસામે ટકરાશે. સિરીઝની પ્રથમ મેચ આજે ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં રમાશે.આ મેદાન પર આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. રવિવારે યોજાનારી આ મેચમાં ભારતનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે જ્યારે બાંગ્લાદેશની કમાન નઝમુલ શાંતો સંભાળશે. મેચ પહેલા ગ્વાલિયરમાં હવામાન કેવું રહેશે અને અહીં વરસાદની સંભાવના છે કે કેમ.
વેધર રિપોર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગ્વાલિયરમાં રવિવારે વરસાદની કોઈ શક્યતા નથી. મેચના દિવસે ગ્વાલિયરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની શક્યતા છે, જ્યારે ભેજ લગભગ 80% રહેશે. વરસાદ ન પડે તો ફેન્સ આખી 40 ઓવરની મેચનો આનંદ માણી શકશે.
પિચ રિપોર્ટ
માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટ્સમેનો માટે અનુકૂળ હોવાની અપેક્ષા છે. આ મેદાન પર હજુ સુધી કોઈ T20 મેચ રમાઈ નથી. આવી સ્થિતિમાં, ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવા માંગશે અને લક્ષ્યનો પીછો કરતા પહેલા પરિસ્થિતિ જાણવા માંગશે.
T20 સિરીઝ માટે બંને દેશો ટીમ
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતીશ કુમાર રેડ્ડી, તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ , હર્ષિત રાણા, મયંક યાદવ.
બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસૈન ઈમોન, તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, લિટન દાસ, ઝાકિર અલી, મેહદી હસન મિરાજ, મેહદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, તન્ઝીબ હસન , રકીબુલ હસન.