- આવતી કાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ
- સાંજે 4 વાગ્યાથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી
- બંને ટીમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી
આવતી કાલે 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ શરુ થશે. સાંજે 4 વાગ્યાથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી મળવાની શરુઆત થશે.

હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝમાં બંને ટીમ 1-1ની બરાબરી પર છે. અમદાવાદમાં રમાનારી અંતિમ અને ત્રીજી મેચ સિરીઝ માટે નિર્ણાયક સાબિત થશે. મેચ પહેલા આજે બંને ટીમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી.


આવતી કાલે 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ શરુ થશે. સાંજે 4 વાગ્યાથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી મળવાની શરુઆત થશે.




આવતી કાલની મેચ માટે ભારતીય ખેલાડીઓ મેદાન પર પરસેવો પાડતા જોવા મળ્યા હતા. બોલરો અને બેટ્સમેન મેદાન પર નેટમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમ યુવા ક્રિકેટરો સાથે મેદાનમાં ઉતરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓએ હાલમાં સિરીઝમાંથી બ્રેક લીધો છે.









