• આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે ભારતીય ટીમ
  • સિરીઝની બીજી મેચમાં કોહલીના આઉટને લઇ વિવાદ
  • કોચ સનથ જયસૂર્યા સાથે ચર્ચા કરતો દેખાયો કોહલી

ભારતીય ટીમ આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ ટાઈ રહી હતી જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના LBW આઉટ થવાને લઈને ઘણો વિવાદ થયો હતો. જેના પર શ્રીલંકાના ખેલાડીઓએ વાંધો વ્યક્ત કર્યો હતો. હવે આ DRS વિવાદ બાદ વિરાટ કોહલી અને શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યા વચ્ચે લાંબી વાતચીત થતી જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

DRS વિવાદ પર કોહલી અને જયસૂર્યાની વાતચીત

જ્યારે વિરાટ કોહલી બીજી ODIની 15મી ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ધનંજય ડી સિલ્વાનો એક બોલ કોહલીના પેડ પર વાગ્યો હતો. જેના પર શ્રીલંકાની ટીમે જોરદાર અપીલ કરી અને અમ્પાયરે કોહલીને આઉટ જાહેર કર્યો. આ કારણે કોહલીએ DRS લીધું અને અલ્ટ્રા એજના કારણે અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. આના પર શ્રીલંકાના ખેલાડીઓ ખૂબ જ ગુસ્સે દેખાતા હતા. કેપ્ટન અસલંકા ફિલ્ડ અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા, જ્યારે જયસૂર્યા રિઝર્વ અમ્પાયર સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.


આ મેચ બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ અને કોચ એકબીજા સાથે હાથ મિલાવતા હતા ત્યારે વિરાટ કોહલી અને સનથ જયસૂર્યા લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શ્રીલંકા 1-0થી આગળ

સિરીઝની બીજી મેચ જીતીને શ્રીલંકાની ટીમે 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી વનડેમાં યજમાન ટીમે ટીમ ઈન્ડિયાને 32 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની નબળી બેટિંગ તેમની હારનું કારણ હતી. હવે ભારતીય ટીમ પર સિરીઝ હારી જવાનો ખતરો છે. રોહિત અને કંપની હવે ત્રીજી મેચ જીતીને સિરીઝ 1-1થી સમાપ્ત કરવા ઈચ્છશે. સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 7મી ઓગસ્ટે રમાશે.

  • Follow us on: