- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે
- આ T20 સિરીઝની છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે
- આ મેચમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સિરીઝની છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે, જ્યારે શ્રીલંકા પાસે પોતાનું સન્માન બચાવવાની છેલ્લી તક હશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. ટીમ મેનેજમેન્ટ આ મેચમાં નવા ખેલાડીઓને અજમાવી શકે છે.
સંજુને મળી શકે બીજી તક
શ્રીલંકા સામેની બીજી T20 મેચમાં સંજુ સેમસનને તક મળી હતી. આ મેચમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને તે ખાતું ખોલાવ્યા વિના જ પ્રથમ બોલ પર આઉટ થઈ ગયો હતો. ટીમ મેનેજમેન્ટ પહેલા જ કહી ચૂક્યું છે કે તેઓ સંજુને સમય આપવા માંગે છે. આ કારણે તે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળી શકે છે.
આ બોલરને પણ મળી શકે તક
મોહમ્મદ સિરાજનું પ્રદર્શન આ સિરીઝમાં અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. તેણે બે મેચમાં માત્ર એક જ વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ તેને આ મેચમાં આરામ આપી શકે છે. તેની જગ્યાએ ટીમ ઈન્ડિયા ખલીલ અહેમદને પણ તક આપી શકે છે.
વોશિંગ્ટન સુંદરને પણ મળશે તક
અક્ષર પટેલે આ સિરીઝમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ ઈન્ડિયાને જરૂરતના સમયે વિકેટો અપાવી છે. પરંતુ સુંદરને તક આપવા માટે તેને આરામ આપવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ પણ સુંદરને એક સારા ઓલરાઉન્ડર તરીકે તૈયાર કરવા માંગે છે. આવી સ્થિતિમાં તેમને પણ તક મળી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત ઈલેવન
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ.