- પ્રેક્ટિસ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઘવાયો
- ભારતીય ટોપ અને મિડલ ઓર્ડર શાનદાર ફોર્મમાં
- ન્યૂઝીલેન્ડ સારા રનરેટને કારણે પહેલા જ્યારે ભારત બીજા સ્થાને
સતત ચાર જીત સાથે વિજય રત પર સવાર યજમાન ભારત અને ગત ઉપ વિજેતા ન્યૂઝીલેન્ડ, પોઇન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી બેલ ટીમોના જંગમાં રવિવારે પાંચમી જીત મેળવીને સેમિફાઇનલમાં સ્થાન બનાવવાનો દાવો મજબૂત કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમોએ હજુ સુધીમાં પોતાની ચારેય મેચો જીતી છે અને બંને ટીમોના આઠ-આઠ પોઇન્ટ છે. ન્યૂઝીલેન્ડ સારા રનરેટને કારણે પહેલા જ્યારે ભારત બીજા સ્થાને છે. બંને ટીમ વચ્ચે કાલે રમાનારી મેચમાં વિજેતા બનનારી ટીમ સતત પાંચમી જીત સાથે સેમિફાઇનલમાં પોતાનો દાવો મજબૂત કરશે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ખરાબ શરૂઆત છતાં છ વિકેટે જીત સાથે ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. રોહિત શર્માની ટીમે તે બાદ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને અનુક્રમે આઠ, સાત અને સાત વિકેટે હરાવી હતી. ટીમે પોતાના ચારેય મુકાબલો ટાર્ગેટનો પીછો કરતા જીત્યા હતા અને ટૂર્નામેન્ટમાં હજુ સુધી ભારતના લોવર મિડલ અને લોવર ઓર્ડરની પરીક્ષા થઈ નથી. આવતીકાલના મુકાબલામાં ભારત માટે મોટી ચિંતાનો વિષય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ઈજા છે. તેની ગેરહાજરીમાં ટીમમાં સંતુલન બેસાડવું પડશે. પંડયા બાંગ્લાદેશ સામેની મેચમાં ઘવાયો હતો. તે હાલ ટીમ સાથે પણ નથી. પંડયાની ગેરહાજરીમાં ભારતે બોલિંગ અથવા બેટિંગમાં સમજૂતી કરવી પડશે.
વિલિયમ્સન વિના ઊતરશે ન્યૂઝીલેન્ડ










