ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ આજથી કાનપુરમાં રમાઈ રહી છે. જો કે આ મેચ પર વરસાદનો પડછાયો છવાયેલો છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ કાનપુરમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. કાનપુરમાં આજે સવારે પણ વરસાદ પડ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મેચ નિર્ધારિત સમય મુજબ શરૂ થાય છે કે નહીં. પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. જેને ભારતીય ટીમે 280 રને જીતી લીધી હતી. હવે કાનપુર ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને સીરિઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. આ સિવાય ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન પર પણ નજર રહેશે.



  • Follow us on: