ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેપૉક સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસે જ પહેલા સેશનમાં જ આ મેચ જીતી લીધી હતી. ત્યારે આર અશ્વિનથી લઈને રિષભ પંત અને શુભમન ગીલે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈ ટેસ્ટમાં પંતે શાનદાર વાપસી કરી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. મેચ બાદ પંતે કહ્યું કે શા માટે તેને ઝડપી ઈનિંગ્સ રમવી પડી?


રોહિત શર્માએ ઘણો સમય આપ્યો

રિષભ પંત બીજા દાવમાં ખૂબ જ ઝડપી બેટિંગ કરતો જોવા મળ્યો હતો. પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ પંતે ઝડપથી પોતાની સદી પૂરી કરી હતી. મેચ દરમિયાન પંતે કહ્યું કે તેને આટલી ઝડપથી બેટિંગ કેમ કરવી પડી. પંતે કહ્યું કે રોહિત ભાઈએ કહ્યું હતું કે, તમે લોકો જે પણ બનાવવા માંગો છો તે બનાવવા માટે એક કલાકનો સમય છે, તેથી મેં વિચાર્યું કે ચાલો જોખમ લઈએ.

ભારતે ચેન્નાઈ ટેસ્ટ મેચ 280 રને જીતી લીધી

ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને 280 રને હરાવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં આર અશ્વિને બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને પ્રથમ દાવમાં સદી ફટકારી હતી અને બીજી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે 6 વિકેટ લીધી હતી.

રિષભ પંત અને શુભમન ગીલે સદી ફટકારી

બીજી ઇનિંગમાં રિષભ પંત અને શુભમન ગીલે સદી ફટકારી હતી. ગિલ અણનમ 119 અને પંતે 109 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


  • Follow us on: