• જસપ્રિત બુમરાહ ધર્મશાલા ટેસ્ટમાંથી પરત ફરશે
  • રજતના સ્થાને દેવદત્તને મળી શકે છે ડેબ્યૂની તક
  • કેએલ રાહુલ અને સિરાજ પાંચમી ટેસ્ટમાંથી બહાર રહેશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ 7 થી 11 માર્ચની વચ્ચે ધર્મશાલામાં રમાશે. છેલ્લી મેચ માટે બંને ટીમો ધર્મશાલા પહોંચી ગઈ છે અને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એવી આશા છે કે પાંચમી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં કેટલાક ફેરફાર થઈ શકે છે. જ્યાં ભારતીય ટીમનો ટેસ્ટ વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહ ધર્મશાલા ટેસ્ટમાંથી પરત ફરી રહ્યો છે. જ્યારે વોશિંગ્ટન સુંદરને પાંચમી ટેસ્ટ માટે રીલીઝ કરવામાં આવ્યો છે. આ સાથે જ કેએલ રાહુલ પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર છે. ચાલો જાણીએ કે ધર્મશાલા ટેસ્ટમાં ભારતનો પ્લેઈંગ 11 શું હોઈ શકે છે. કયા ખેલાડીઓને પાંચમી ટેસ્ટમાં આરામ આપવામાં આવશે. તો જાણો કયા ખેલાડીને તક મળશે.

રાંચી ટેસ્ટમાં આકાશ દીપને તક મળી હતી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની રાંચી ટેસ્ટમાં ફાસ્ટ બોલર આકાશ દીપને ડેબ્યૂ કરવાની તક મળી. તે ભારતનો 313મો ટેસ્ટ ખેલાડી બનવાનો હતો. તેણે પોતાની ઝડપ અને સ્વિંગ બોલિંગ વડે પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડર તોડ્યો હતો. આકાશ દીપે પ્રથમ દાવમાં બેન ડકેટ, જેક ક્રાઉલી અને ઓલી પોપની મોટી વિકેટ લીધી હતી. રાંચી ટેસ્ટમાં તેના જોરદાર પ્રદર્શન બાદ ટીમ મેનેજમેન્ટ આકાશ દીપને ધર્મશાલા ટેસ્ટમાં પણ તક આપી શકે છે.

દેવદત્ત પડિકલને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે

આકાશ દીપ બાદ દેવદત્ત પડિકલ પણ ધર્મશાલા ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે. ધર્મશાલા ટેસ્ટમાં રજત પાટીદારના સ્થાને પડિકલ ટીમમાં સામેલ થઈ શકે છે. વાસ્તવમાં, રજત પાટીદારને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી, પરંતુ તે અત્યાર સુધી કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી. અત્યાર સુધીમાં રજત પાટીદારે અનુક્રમે 32, 9, 5, 0, 17 અને 0નો સ્કોર કર્યો છે. દેવદત્ત પડિક્કલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવી રહ્યો છે. તે અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં છે. જે બાદ આશા છે કે તેને ધર્મશાલા ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

સિરાજને આરામ મળી શકે છે

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ધર્મશાલા ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. વાસ્તવમાં સિરાજે ઈંગ્લેન્ડ સામે ઘણી બોલિંગ કરી હતી. જે બાદ મેનેજમેન્ટ તેમને આરામ આપવા અંગે વિચારી શકે છે. જોકે સિરાજને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પણ આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ તેને ફરી એકવાર આરામ આપવામાં આવી શકે છે. સિરાજની જગ્યાએ જસપ્રીત બુમરાહ ટીમમાં વાપસી કરી શકે છે.

ભારતનો સંભવિત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર/દેવદત્ત પડિકલ, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન)/સિરાજ.

  • Follow us on: