ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની બીજી મેચ પુણેમાં રમાશે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચમાં જીતની રાહ જોઈ રહી છે. બેંગલુરુ ટેસ્ટમાં વરસાદે મેચની મજા કેવી રીતે બગાડી હતી તે જોવા મળ્યું હતું. વરસાદના કારણે પ્રથમ દિવસની રમત ટોસ વિના રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાને પણ નુકશાન થયું છે. હવે ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે પુણે ટેસ્ટમાં વરસાદ 'વિલન' બની શકે છે.


પૂણેનું હવામાન આવતીકાલે આવું રહેશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 ઓક્ટોબરે પુણેનું હવામાન સાફ થઈ જશે. તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ સિવાય વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં ચાહકોને આ વખતે આખી મેચ જોવા મળી શકે છે. જો કે પુણેમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે

પુણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળી શકે છે. જ્યાં એક તરફ શુભમન ગિલ બીજી ટેસ્ટ મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે, તો બીજી તરફ મોહમ્મદ સિરાજ ખરાબ પ્રદર્શનને કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે. કેએલ રાહુલ પણ આ મેચમાંથી બહાર થઈ શકે છે. રાહુલ સતત ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયા 1-0થી પાછળ છે

બેંગલુરુ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા હવે ત્રણ મેચની સિરીઝમાં 1-0થી પાછળ છે. પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં શાનદાર વાપસી કરી હતી, પરંતુ ટીમ જીતી શકી નહોતી.

  • Follow us on: