ભારતીય ટીમને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ હતો. પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ આ પછી વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર અને વોશિંગ્ટન સુંદર ફલોપ રહ્યા હતા. જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી વનડે 7મી ઓગસ્ટે રમાશે. ભારતીય ટીમ ત્રીજી વન-ડે જીતીને શ્રેણી 1-1થી ખતમ કરવા ઈચ્છે છે. તે જ સમયે, શ્રીલંકા ત્રીજી વનડે જીતીને ભારત સામેની વનડે શ્રેણીના 27 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરવા માંગશે. શ્રીલંકાએ છેલ્લે વર્ષ 1997માં ભારત સામે વનડે શ્રેણી જીતી હતી.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









