• ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા
  • ગંભીરને કોચ બનાવતા પહેલા વિરાટ કોહલી સાથે કોઈ વાતચીત થઈ નથી
  • હાર્દિક પંડ્યા સહિત કેટલાક ખેલાડીઓને પહેલાથી જ આ વાતની જાણ હતી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ગંભીરને મુખ્ય કોચ બનાવતા પહેલા ઘણી ચર્ચા થઈ હતી. તેમની સાથે ડબલ્યુબી રમનનો પણ ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. પરંતુ માત્ર ગંભીરને જ ફાઈનલ કરવામાં આવ્યો હતો. હવે એક માહિતી સામે આવી છે. એક રિપોર્ટ મુજબ ગંભીરને કોચ બનાવતા પહેલા વિરાટ કોહલી સાથે કોઈ વાતચીત થઈ નથી. જ્યારે હાર્દિક પંડ્યા સહિત કેટલાક ખેલાડીઓને પહેલાથી જ આ વાતની જાણ હતી.

કોહલી અને ગંભીર વચ્ચે ઘણા વિવાદો થયા છે. આ બંને ખેલાડીઓ આઈપીએલ દરમિયાન મેદાન પર ટકરાયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, બીસીસીઆઈએ કોહલી સાથે હેડ કોચને લઈને કોઈપણ રીતે વાત કરી નથી. ગંભીરને જવાબદારી સોંપતા પહેલા તેને માહિતી પણ આપવામાં આવી ન હતી. બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિએ ગંભીરનું નામ ફાઈનલ કર્યું હતું. પરંતુ કોહલીને આ સમગ્ર મામલાથી દૂર રાખવામાં આવ્યો હતો.

હાર્દિક પંડ્યા પહેલાથી જ જાણતા હતો

ટીમ ઈન્ડિયા હવે હાર્દિક પંડ્યાને પૂર્ણ સમયનો ટી20 કેપ્ટન બનાવી શકે છે. હાર્દિક પંડ્યા પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે. તેણે IPLમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરી છે અને હવે તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. રિપોર્ટ મુજબ પંડ્યા એ ખેલાડીઓમાં સામેલ છે જે જાણતા હતા કે ગૌતમ ગંભીર આગામી મુખ્ય કોચ બનશે. પરંતુ કોહલીને આ વાતની જાણ નહોતી.

કોહલી-રોહિત અને જાડેજાની ટી20 ઈન્ટરનેશનલમાંથી લીધી નિવૃત્તિ

વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. રોહિત અને કોહલીની જોડીએ ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. ભારત ટી20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ જ રોહિત, કોહલી અને જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

  • Follow us on: